વોટચોરી, SIR મામલે કોંગ્રેસની 14 ડિસેમ્બરે દિલ્હીમાં રેલી

હસ્તાક્ષર અભિયાનના કાગળો રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે વોટ ચોરી અને SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે. રાહુલ ગાંધી,…

હસ્તાક્ષર અભિયાનના કાગળો રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે

વોટ ચોરી અને SIR પ્રક્રિયામાં અનિયમિતતાઓના વિરોધમાં 14 ડિસેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની એક મોટી રેલી યોજાશે. રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને પ્રિયંકા ગાંધી રેલીમાં હાજર રહેશે. સોનિયા ગાંધીની હાજરી તેમના સ્વાસ્થ્ય પર નિર્ભર રહેશે. આ મુદ્દા પર હસ્તાક્ષર અભિયાનના કાગળો પણ રજૂ કરવામાં આવશે, અને પછી રાષ્ટ્રપતિને મોકલવામાં આવશે.

હકીકતમાં, બે દિવસ પહેલા, કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં કારમી હાર અને મત ચોરીના મુદ્દા અંગે 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રભારીઓ, રાજ્ય એકમના વડાઓ, કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાઓ અને સચિવોની સમીક્ષા બેઠક બોલાવી હતી. આ બેઠકમાં, ડિસેમ્બરના પહેલા અઠવાડિયામાં SIR સામે કોંગ્રેસની એક મોટી રેલી યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

બેઠકમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું હતું કે ચૂંટણી દરમિયાન મહિલાઓને રૂૂ.10,000 પૂરી પાડતી યોજનાઓ જેવા પગલાં અન્ય કોઈ રાજ્યોએ ન લેવા જોઈએ. વધુમાં, ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પછી મતદાર યાદીમાંથી કોઈ નામ ઉમેરવામાં કે કાઢી નાખવામાં ન આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *