ક્રાઇમ
કોચે 13 વર્ષની ખો-ખો ખેલાડી પર દુષ્કર્મ , ટ્રેન મોડી પડવાના બહાને હોટલમાં લઈ ગયો
મહારાષ્ટ્રના સંભાજીનગર વિસ્તારમાં 13 વર્ષના રાષ્ટ્રીય ખો-ખો ખેલાડી સાથે કોચે જ ગેરવર્તણૂક કરી હતી. તેણે ખો ખોના ખેલાડીને એક સ્પર્ધા માટે મુંબઈ જવાનું છે તેમ કહીને રેલવે સ્ટેશન પર બોલાવ્યો. તેણી ત્યાં પહોંચ્યા પછી તે તેણીને એક હોટલમાં લઈ ગયો અને તેણીને ટ્રેન મોડી હોવાનું કહીને તેની સાથે બળજબરીથી બળાત્કાર ગુજાર્યો.
આટલું જ નહીં, સ્પર્ધા પછી તે ગામમાં પણ ગયો અને ફરીથી આ પ્રકારની કાર્યવાહીની માંગ કરી. આ પછી યુવતી ડરી ગઈ અને તેણે ઘરે આ ઘટના વિશે જણાવ્યું. ત્યાર બાદ બાળકીની માતાએ ફરિયાદ નોંધાવ્યા બાદ વેદાંત નગર પોલીસમાં કોચ, હોટલ માલિક અને મેનેજર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.
ખો-ખો કોચ દ્વારા દુરુપયોગ
પેઠણ તાલુકાની એક શાળામાં ભણતી એક છોકરીને કહેવામાં આવ્યું હતું કે જો તેને ખો-ખોમાં પ્રગતિ કરવી હોય તો મોટી ટુર્નામેન્ટ રમવી પડશે. જગન્નાથ શિવાજી ગોર્ડે, રાષ્ટ્રીય ખેલાડી, જેઓ તેમના ઘરની નજીક રહેતા હતા, તેમને વરવા માટે તેમના પરિવાર પર આધાર રાખતા હતા.
ટ્રેનરે પરિવારને કહ્યું કે તેઓ 25 સપ્ટેમ્બરે સ્પર્ધા માટે મુંબઈ જવાના છે અને તેમને ઔરંગાબાદ રેલવે સ્ટેશન પર બોલાવ્યા. જગન્નાથ ગોર્ડેએ યુવતીને કહ્યું કે તે હોટલમાં આરામ કરશે કારણ કે મુંબઈ જતી ટ્રેન રાત્રે છે. જ્યારે તેઓ સ્ટેશન વિસ્તારની એક હોટલમાં ગયા હતા. ત્યારે તેઓ એક જ રૂમમાં એકલા હતા.ત્યારે આરોપીએ યુવતી પર બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારપછી તેને ધમકાવીને ગેમ રમવા માટે મુંબઈ લઈ જવામાં આવી હતી.
ફરીથી આવો અને ફરીથી માંગ કરો
ડરી ગયેલી યુવતીએ આ વાત કોઈને જણાવી ન હતી. પરંતુ સ્પર્ધામાંથી પરત પૈઠણ ગામમાં આવ્યા બાદ આ કોચે તું મને પસંદ કરે છે તેમ કહીને બાળકી પાસેથી શારીરિક સુખ માંગ્યું હતું. ગભરાયેલી યુવતીએ આખી વાત ઘરે તેની માતાને કહી હતી. આ પછી તેની માતાએ તરત જ પોલીસને જાણ કરી અને ફરિયાદ નોંધાવી.તાત્કાલિક પગલાં લેતા, પોલીસે વેંદંત નગર પોલીસમાં કોચ જગન્નાથ ગોર્ડે, હોટેલ માલિક અને સ્ટેશન વિસ્તારના મેનેજર વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી કાર્યવાહી હાથ ધરાશે તેમ જણાવ્યું હતું.
ક્રાઇમ
રાજ્યભરમાં EDના દરોડા, એકસાથે 23 સ્થળોએ સર્ચ ઓપરેશન, કરોડા રૂપિયાની ટેક્સ ચોરીના પાડયા દરોડા
રાજ્યમાં દિવાળી પહેલાં જ EDએ 23થી વધુ જગ્યાઓ પર દરોડા પાડયા છે. બનાવતી કંપનીના મામલામાં હવે EDએ એન્ટ્રી કરી છે. અમદાવાદ, ભાવનગર, જૂનાગઢ, વેરાવળ ,રાજકોટ સુરત, કોડીનારમાં દરોડા પાડવામાં આવ્યા છે. EDએ નવેસરથી ફરિયાદ દાખલ કરી દરોડાનું ઓપરેશન હાથ ધર્યું છે. CGSTના કૌભાંડ અંગે રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રાજ્યમાં અમદાવદ, જુનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત કોડીનાર સહીત ૭ શહેરોના ૨૩ થી વધુ જગ્યાઓ પર ઇડીએ દરોડા પડ્યા હતા. 200થી વધુ નકલી કંપનીઓ ખોલીને કરોડોની ટેક્સ ચોરીના કેસમાં અમદાવાદ પોલીસ બાદ કેન્દ્રીય એજન્સી ત્રાટકી છે, આ કેસમાં અગાઉ ૫ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
કરોડો રૂપિયાના GST કૌભાંડ મામલે અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બોગસ કંપની બનાવીને બોગસ બિલિંગ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. અગાઉ અબ્દુલ હાફિઝ, અબ્દુલ કાદરી, એઝાઝ માલદાર, ધ્રુવીના સંચાલક દેવરાણી સહિત પાંચની ધરપકડ કરી હતી.
ક્રાઇમ
ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ
ખંભાળિયામાં રહેતા એક મુસ્લિમ પરિવારના સગીર દ્વારા પોતાના ફઈ ઉપર દુષ્કર્મ ગુજાર્યાનો બનાવ સામે આવ્યો છે.
ખંભાળિયા શહેરના આ ચકચારી બનાવની જાણવા માટે વિગત મુજબ શહેરના એક વિસ્તારમાં રહેતા સગીર વયના કિશોર દ્વારા પોતાના પુખ્ત વયના ફઈબા ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. આ બનાવને અનુલક્ષીને અહીંના ડી.વાય.એસ.પી. ડો. હાર્દિક પ્રજાપતિ તેમજ પી.આઈ. બી.જે. સરવૈયાની ટીમ દ્વારા ફરિયાદ દાખલ કરવા તેમજ સગીર વયના કિશોરની અટકાયત કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
ભોગ બનનાર આ મુસ્લિમ યુવતી અસ્થિર મગજની હોવાનું પણ બહાર આવ્યું છે. આ બનાવમાં સગીરના કાકા દ્વારા અહીંના પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને અનુલક્ષીને પોલીસ દ્વારા સગીર વયના કિશોરની અટકાયત કરી, આ દુષ્કર્મ કેસમાં કપડાં સહિતના અન્ય પુરાવાઓ એકત્ર કરાયા હતા. સાથે સાથે ભોગ બનનાર યુવતીનું પણ મેડિકલ ચેકઅપ કરાવવામાં આવ્યું હતું.
આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં સગીર વયના કિશોર દ્વારા ફઈ સાથે દુષ્કર્મ કરવાના આ બનાવે સભ્ય સમાજમાં ભારે ચર્ચા જગાવી છે.
ક્રાઇમ
લોરેન્સ બિશ્ર્નોઈના સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર ઉપર પ્રતિબંધ
કેન્દ્રીય ગૃહમંત્રાલયે ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર પ્રતિબંધ ઓગસ્ટ-2025 સુધી લંબાવી દીધો
કોઈ પણ રાજ્યની પોલીસને કસ્ટડી મળશે નહીં, પૂછપરછ સાબરમતી જેલમાં જ કરવી પડશે
અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈનું ના મુંબઈના એનસીપી અજીત પવાર જૂથના નેતા બાબા સીદીકી ઉપરાંત કેનેડાના ખાલિસ્તાન તરફી નેતા હરદિપસિંહ નિજ્જરની હત્યામાં ઉછળ્યું છે. પરંતુ ગુજરાત બહારની પોલીસ સાબરમતી જેલમાંથી તેનો કબજો લઈ શકતી નથી તેની પાછળ કાયદાકીય જોગવાઈ હોવાનુું જણાય છે.
ગોંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈના ટ્રાન્સફર-સ્થળાંતર ઉપર કેન્દ્રીય ગૃહમંત્રાલયે પ્રતિબંધ ફરમાવ્યો છે. એક વર્ષના પ્રતિબંધની મુદત ગત ઓગસ્ટ માસમાં પૂર્ણ થતાં કેન્દ્રીય ગૃહમંત્રાલયે ફરી એકવર્ષ એટલે કે, ઓગસ્ટ-2025 સુધી આપ્રતિબંધ લંબાવી દીધો છે. જેથી કોઈપણ રાજ્યની પોલીસને લોરેન્સની કસ્ટડી મળી શકશે નહીં અને મંજુરી લઈને જ સાબરમતિ જેલમાં પુછપરછ કરી શકશે.
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દીકીની હત્યાકાંડમાં લોરેન્સ બિશ્નોઈનું નામ સામે આવ્યું છે. જેને લઈને મુંબઈ પોલીસ લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી ઈચ્છે છે, પરંતુ વારંવાર મુંબઈ પોલીસની અરજી ફગાવી દેવામાં આવી રહી છે. ક્યા કારણે મુંબઈ પોલીસને લોરેન્સ બિશ્ર્નોઈની કસ્ટડી મળી નથી તે જાણવું રસપ્રદ છે.
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ હાલમાં અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એપ્રિલ મહિનામાં બોલિવૂડ અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને હવે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દીકીની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આવી સ્થતિમાં મુંબઈ પોલીસ પૂછપરછ માટે ગેંગસ્ટરની કસ્ટડી માંગી રહી છે.
એપ્રિલની ઘટના બાદ સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મુંબઈ પોલીસે સાબરમતી જેલમાંથી લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી માટે ઘણીવાર અપીલ કરી, પરંતુ ગૃહ મંત્રાલયના એક આદેશના કારણે તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઓગસ્ટ મહિનામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના સ્થળાંતર પ્રતિબંધ (ટ્રાન્સફર પ્રતિબંધ)ને એક વર્ષ માટે લંબાવ્યો હતો, જેના કારણે તેને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં જ તેને રાખવામાં આવ્યો છે.
જો કોઈ રાજ્યની પોલીસ લોરેન્સ બિશ્નોઈની પૂછપરછ કરવા માંગે છે તો તેને જેલ પરિસરની અંદર જ કરવી પડશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આ આદેશના કારણે જ મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈની કસ્ટડી બાબા સિદ્દીકીની હત્યા મામલે ગેંગસ્ટર સામે તપાસ ચાલી રહી છે.
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 268 હેઠળ લાદવામાં આવેલો પ્રતિબંધક આદેશ આ વર્ષે ઓગસ્ટમાં સમાપ્ત થવાનો હતો, પરંતુ હવે તેને ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા, 2023ની કલમ 303 હેઠળ લંબાવવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ ડીઆઈજી શ્વેતા શ્રીમાળીએ પુષ્ટિ કરી કે આ નવો આદેશ ઓગસ્ટ 2025 સુધી અમલમાં રહેશે.
ડ્રગ્સના કેસમાં સાબરમતી જેલમાં બંધ છે લોરેન્સ બિશ્ર્નોઈ
રાજસ્થાનનો ગેંગસ્ટર લોરેન્સ બિશ્ર્નોઈને ડ્રગ્સના કેસમાં ગુજરાત પોલીસે પકડ્યો હતો. કચ્છમાંથી પકડાયેલ ડ્રગ્સકાંડમાં લોરેન્સ બિશ્ર્નોઈને પકડવામાં આવ્યા બાદ તે એક વર્ષથી સાબરમતિ જેલમાં છે. લોરેન્સના જેલવાસ દરમિયાન જ સલમાનખાનના ઘર ઉપર ફાયરીંગ, અમુક વેપારીઓને કોલ કરી ખંડણી માંગવી અને છેલ્લે મુંબઈમાં બાબાસીદીકીની હત્યામાં તેનું નામ ઉછળી રહ્યું છે. પરંતુ અન્ય રાજ્યોની પોલીસને આજ સુધી લોરેન્સ બિશ્ર્નોઈનો કબજો મળ્યો નથી.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય22 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય22 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત