રાષ્ટ્રીય
કલમ 370 નાબુદી ભાજપ-અબ્દુલ્લા પરિવારનું ફિક્સિગં
નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ બુધવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા છે. દરમિયાન, અવામી ઇત્તેહાદ પાર્ટીના પ્રમુખ અને સાંસદ શેખ અબ્દુલ રશીદ ઉર્ફે એન્જિનિયર રશીદે બુધવારે આરોપ લગાવ્યો હતો કે ફારુક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લાએ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મામલે વડાપ્રધાન મોદી સાથે સાંઠગાંઠ કરી છે.
રાશિદે દાવો કર્યો હતો કે પીએમ મોદીએ આ પગલું ભરતા પહેલા અબ્દુલ્લા પરિવારની સલાહ લીધી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે બદલામાં ભાજપે નેશનલ કોન્ફરન્સ (ગઈ)ને ઘાટીમાં ફરી સત્તામાં લાવવામાં મદદ કરી હતી.
ન્યૂઝ એજન્સી અગઈંથ સાથે વાત કરતા રાશિદે કહ્યું, ઓમર અબ્દુલ્લા રાજ્યનો દરજ્જો, કલમ 370 અને 35અ વિશે વાત કરે છે. ઓમર અબ્દુલ્લા 370થી ભાગી રહ્યા છે. જ્યારે પીએમ મોદીએ કલમ 370 હટાવી ત્યારે તેઓ 3 દિવસ પહેલા ફારુક અબ્દુલ્લાને મળ્યા હતા. મીટિંગ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે કંઈપણ હટાવવાનું નથી, પરંતુ તેને દૂર કરવામાં આવ્યું અને ફારુક અને ઓમર અબ્દુલ્લાને ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતા.
વધુમાં તેમણે કહ્યું હતું કે, અબ્દુલ્લા પરિવાર સાથે મોદીએ ચર્ચા કરીને કલમ 370 હટાવી હતી. આ બધું મેચ ફિક્સિંગ જેવું હતું. તેમાં કોઈ શંકા નથી કે ભાજપે એનસીને સત્તામાં આવવામાં મદદ કરી છે.ઉલ્લેખનીય છે કે, ઓગસ્ટ 2019 માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરી હતી.
મહત્વનું છે કે, 2005માં શ્રીનગરમાં સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (એસઓજી) દ્વારા ઇજનેર રાશિદની આતંકવાદીઓને સમર્થન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ મહિના અને 17 દિવસની અટકાયત કરવામાં આવી હતી. તેના પર રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓનો આરોપ હતો અને તેને કારગો, હુમહામા અને રાજ બાગ જેલમાં રાખવામાં આવ્યા હતા.
જો કે, શ્રીનગરના મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટે પાછળથી માનવતાના આધાર પર તેમની સામેના તમામ આરોપો રદ કર્યા હતા. ઓગસ્ટ 2019 માં, રશીદને ફરીથી ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ (ઞઅઙઅ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. તેમની જેલવાસ દરમિયાન, તેમણે જેલમાંથી 2024ની સંસદીય ચૂંટણી માટે તેમનું નામાંકન ભર્યું અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને હરાવીને 204,000 મતોના માર્જિનથી જીત્યા હતા.
રાષ્ટ્રીય
સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે.
એક વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, પજો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે. દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.
દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય
ફૂટબોલ ચાહકોના દિલ તૂટશે, મેસીએ આપ્યો નિવૃત્તિનો સંકેત
ફૂટબોલની રમત પર છેલ્લા બે દાયકાથી રાજ કરી રહેલા આર્જેન્ટિનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસ્સીનો જાદુ હજુ પણ બરકરાર છે. તેની હેટ્રિકના આધારે આર્જેન્ટિનાએ વર્લ્ડ કપ ક્વોલિફાઇંગ મેચમાં બોલિવિયાને 6-0થી હરાવ્યું હતું. બોલિવિયા સામેની મેચ દરમિયાન સાથી ખેલાડીઓ લૌટારો માર્ટિનેઝ અને જુલિયન આલ્વારેઝને ગોલ કરવામાં મદદ કરવામાં પણ મેસ્સીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. 37 વર્ષીય મેસીએ મેચની 19મી, 84મી અને 86મી મિનિટમાં ગોલ કર્યા હતા.
આ સમયગાળા દરમિયાન, તેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય હેટ્રિક લેવાના મહાન ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના રેકોર્ડની પણ બરાબરી કરી. બંને ખેલાડીઓના નામે હવે 10 હેટ્રિક છે. મેચ બાદ તેણે નિવૃત્તિને લઈને મોટું અપડેટ આપ્યું હતું. તેણે કહ્યું કે તે તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. જો કે, તેણે એમ પણ કહ્યું છે કે તેણે આ અંગે કોઈ સમય મર્યાદા નક્કી કરી નથી.
તેણે કહ્યું, મેં મારા ભવિષ્યને લઈને કોઈ તારીખ કે સમય મર્યાદા નક્કી કરી નથી. હું ફક્ત તેનો આનંદ માણી રહ્યો છું. હું પહેલા કરતાં વધુ લાગણીશીલ છું અને મને લોકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે, કારણ કે હું જાણું છું કે આ વર્ષની શરૂૂઆતમાં કોપા અમેરિકાની ફાઈનલ દરમિયાન થયેલી ઈજામાંથી સાજો થયા બાદ મેસ્સી આર્જેન્ટિના માટે મારી છેલ્લી મેચ હોઈ શકે છે બીજી મેચ. મેસ્સીએ કબૂલ્યું કે આખી મેચ દરમિયાન ઘરઆંગણાના દર્શકોને તેના નામનો જયઘોષ કરતા જોવો તે તેના માટે ખૂબ જ ભાવનાત્મક ક્ષણ હતી.
રાષ્ટ્રીય
નિકિતા પોરવાલે ફેમિના મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યો
30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો
ગતની રાત્રે ફેમિના મિસ ઈન્ડિયા 2024ની ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની મોસ્ટ આઇકોનિક બ્યુટી પેજન્ટની આ 60મી વર્ષગાંઠ હતી, જેમાં મધ્ય પ્રદેશની નિકિતા પોરવાલને આ ટાઇટલ એનાયત કરવામાં આવ્યું હતું. મુંબઈના વર્લીમાં આ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકિતા એક અભિનેત્રી છે, જે 18 વર્ષની ઉંમરથી અભિનય કરી રહી છે. ફેમિના મિસ ઈન્ડિયા 2023ની વિજેતા નંદિની ગુપ્તાએ નિકિતાના માથા પર તાજ શણગાર્યો હતો. આ સાથે નેહા ધૂપિયાએ તેનો મિસ ઈન્ડિયા સેશ રજૂ કર્યો હતો.
આ ઈવેન્ટમાં પરફોર્મ કરવાની સાથે અભિનેત્રી સંગીતા બિજલાનીએ પણ રેમ્પ વોક કર્યું હતું. નિકિતાએ પોતાના કરિયરની શરૂૂઆત ટેલિવિઝન એન્કર તરીકે કરી હતી. ફેમિના મિસ ઈન્ડિયા 2024માં 30 રાજ્યોમાંથી વિજેતાઓએ ભાગ લીધો હતો. નિકિતાની વાત કરીએ તો અભિનય સિવાય તેને લેખનનો પણ શોખ છે, નિકિતાએ લખેલા નાટકમાં કૃષ્ણ લીલાના 250 પાના પણ છે. હોસ્ટિંગ સિવાય નિકિતાએ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેનો આગામી પ્રોજેક્ટ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં છે, જેનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે, ફિલ્મનું ટાઈટલ પચંબલ પારથ છે.
-
આંતરરાષ્ટ્રીય2 days ago
SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા
-
ક્રાઇમ2 days ago
ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો
-
રાષ્ટ્રીય20 hours ago
10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની
-
આંતરરાષ્ટ્રીય20 hours ago
નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા
-
ગુજરાત2 days ago
પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ
-
ગુજરાત2 days ago
આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત