Connect with us

રાષ્ટ્રીય

બે અગ્નિવીરોની શહીદી મુદ્દે મોદી સરકાર સામે રાહુલના વેધક સવાલ

Published

on

પરિવારને વળતર, પેન્શન, સરકારી સુવિધા બાબતે સરકાર ઉપર પ્રહાર

મહારાષ્ટ્રનાં નાસિક ખાતે તાજેતરમાં જ અગ્નિવીરની તાલીમ સમયે ઈન્ડિયન ફિલ્ડ ગન (તોપ)માંથી ગોળો ફેંકતી વખતે અચાનક બ્લાસ્ટ થતાં બે તાલીમાર્થીએ જીવ ગુમાવ્યા હતાં.જેમાં જામકંડોરણા પંથકનાં આંચવડ ગામનાં વિશ્વરાજસિંહ મહિપતસિંહ ગોહિલ (ઉ.વ.20) પણ શહીદ થયાં હતા. હવે આ ઘટના મામલે લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બે અગ્નિવીરની શહીદી મુદ્દે એક્સ પર પોસ્ટ કરી છે. તેમણે ફરી અગ્નિવીર યોજના પર આંગળી ચીંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે.


રાહુલ ગાંધીએ આજે એક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, નાસિકમાં ટ્રેનિંગ દરમિયાન બે અગ્નિવીર ગોહિલ વિશ્વરાજસિંહ અને સૈફત શિતનું નિધન એક દુ:ખદ ઘટના છે. તેમના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના. આ ઘટના ફરી અગ્નિવીર યોજના પર ગંભીર સવાલો ઉભા કરે છે અને ભાજપ સરકાર પર તેનો જવાબ આપવામાં અસફળ થઈ છે.


કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ એક પછી એક પોસ્ટ કરીને કેન્દ્ર સરકારને અનેક સવાલો પૂછી જવાબ માંગ્યા છે. તેમણે કહ્યું કે, જે રીતે અન્ય જવાનોની શહીદી પર તેમના પરિવારને વળતર ચૂકવવામાં આવે છે, તે મુજબ ગોહિલ અને સૈફતના પરિવારોને સમયસર વળતર મળશે ? તેમણે મોદી સરકારને વધુ એક સવાલ કર્યો છે કે, નબંને સૈનિકોની જવાબદારી અને બલિદાન સમાન છે, તો પછી અગ્નિવીરોના પરિવારોને પેન્શન અને અન્ય સરકારી સુવિધાનો લાભ કેમ નહીં અપાય? તેમની શહીદી પર આ ભેદભાવ શા માટે?


રાહુલ ગાંધીએ અગ્નિપથ યોજના પર નિશાન સાધી કહ્યું કે, નઅગ્નિપથ યોજનાથી સેના સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને આપણા વીર જવાનોનું અપમાન કરવામાં આવ્યું છે. વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રીએ જવાબ આપવો જોઈએ કે, શા માટે એક સૈનિકનું જીવન બીજા સૈનિક કરતાં વધુ મૂલ્યવાન છે?

Sports

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

Published

on

By

શ્રીલંકા જેવી નબળી ટીમ સામે 0-2થી હારી ગયેલી ન્યુઝીલેન્ડની ટીમે બેંગલુરુમાં ટીમ ઈન્ડિયાને હરાવ્યું હતું. બેંગલુરુ ટેસ્ટના બીજા દિવસે એમ ચિન્નાસ્વામીની પીચ પર ટીમ ઈન્ડિયાની બેટિંગ પત્તાના પોટલાની જેમ છવાઈ ગઈ હતી. ટીમ ઈન્ડિયાએ પ્રથમ દાવમાં માત્ર 46 રન બનાવ્યા હતા. સ્થિતિ એવી હતી કે ટીમ ઈન્ડિયાના માત્ર બે બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા હતા, જ્યારે અડધી ટીમ ખાતું પણ ખોલી શકી નહોતી. વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રવિન્દ્ર જાડેજા અને આર અશ્વિનના ખાતા પણ ખોલાયા ન હતા. રિષભ પંત 20 રન બનાવીને ટીમ તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો.

46 રન ટીમ ઈન્ડિયાનો તેની ધરતી પર સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા ભારતીય ટીમ 1979માં વેસ્ટ ઈન્ડિઝ સામે 75 રનમાં પડી ગઈ હતી. ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાનો આ ત્રીજો સૌથી ઓછો સ્કોર છે. 2020માં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે 36 રનમાં આઉટ થઈ ગઈ હતી અને હવે આ ટીમ પોતાના ઘરે 50 રન સુધી પહોંચી શકી નથી.

ટીમ ઈન્ડિયા માટે ચિન્નાસ્વામીની એ જ ગ્રાઉન્ડ પર રન બનાવવા મુશ્કેલ બની ગયા જ્યાં સિક્સર અને ફોરનો વરસાદ થાય છે. કેપ્ટન રોહિત શર્માએ રમતના બીજા દિવસે ટોસ જીત્યો અને તેણે પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું. આ પછી ન્યુઝીલેન્ડના બોલરોએ રમત પૂરી કરી. ટીમ ઈન્ડિયાને પહેલો ઝટકો ટિમ સાઉથીએ આપ્યો, જેણે માત્ર 2 રન પર રોહિત શર્માને બોલ્ડ કર્યો. આ પછી વિરાટ કોહલી ક્રિઝ પર આવ્યો અને આ ખેલાડી ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો. આ પછી સરફરાઝ ખાન સાથે પણ આવું જ થયું.

એવું લાગતું હતું કે ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલ ઇનિંગ્સને સંભાળશે પરંતુ ન્યુઝીલેન્ડના ઝડપી બોલરોની યોજના અલગ હતી. વિલિયમ ઓ’રોર્કે યશસ્વી જયસ્વાલને પણ આઉટ કર્યો હતો. કેએલ રાહુલ ખાતું પણ ખોલી શક્યો ન હતો અને ટીમ ઈન્ડિયાએ 33 રનમાં અડધી ટીમ ગુમાવી દીધી હતી. આ પછી, એવું લાગી રહ્યું હતું કે બે વિકેટ પડવાની લાઇનમાં છે. જાડેજા અને અશ્વિન પણ શૂન્ય પર સેટલ થઈ ગયા અને થોડી જ વારમાં ટીમ ઈન્ડિયા શરમજનક સ્કોર પર આવી ગઈ. જે ડોમેસ્ટિક ટેસ્ટ મેચમાં તેનો સૌથી ઓછો સ્કોર છે.

Continue Reading

રાષ્ટ્રીય

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

Published

on

By

નાયબ સિંહ સૈનીએ બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપના અન્ય ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. પંચકુલામાં આયોજિત આ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ, નીતિન ગડકરી અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર લાલ ખટ્ટર ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને તેમના નાયબ મુખ્ય પ્રધાનોએ પણ ભાગ લીધો હતો.આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં લગભગ 50,000 લોકો ભાગ લેવાનો દાવો છે. દેશભરમાંથી લગભગ દોઢ ડઝન NDA નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા.

આ શપથ ગ્રહણ હરિયાણા માટે ઐતિહાસિક ઘટના છે કારણ કે હરિયાણામાં ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. નાયબ સિંહ સૈની સાથે, 10 થી 12 મંત્રીઓ પણ શપથ લઈ રહ્યા છે 5 ઓક્ટોબરે હરિયાણામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે 90 માંથી 48 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસે 37 બેઠકો જીતી હતી.

Continue Reading

રાષ્ટ્રીય

સલમાન મુક્તિધામ મુકામ પર આવી માફી માગે તો બિશ્નોઈ સમાજ માફ કરશે

Published

on

By


બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને બિશ્નોઈ ગેંગ વચ્ચેનો વિવાદ ફરી એકવાર ચર્ચામાં છે. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ગઈઙ નેતા બાબા સિદ્દીકીની હત્યાથી ફરી એકવાર આ મામલો ગરમાયો છે. હવે બિશ્નોઈ સમાજ તરફથી એક મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને માફ કરી દેવામાં આવશે, પરંતુ તેના માટે ભાઈજાને એક કામ કરવું પડશે.


એક વાતચીતમાં અખિલ ભારતીય બિશ્નોઈ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, પજો સલમાન ખાન પોતાનો ગુનો કબૂલે અને જાહેરમાં માફી માંગે તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરવા માટે તૈયાર છે. દેવેન્દ્ર બુરિયાએ કહ્યું હતું કે, જ્યારે તેઓ મુક્તિધામ મુકામ ખાતે આવીને માફી માંગશે ત્યારે જ તેમની માફી સ્વીકારવામાં આવશે. મુક્તિધામ મુકામ બિશ્નોઈ સમુદાય માટે એક પવિત્ર સ્થળ માનવામાં આવે છે.


દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.

Continue Reading
Sports47 seconds ago

IND VS NZ: માત્ર 46 રનમાં જ ટીમ ઈન્ડિયા ઓલઆઉટ, એશિયામાં સૌથી ઓછો સ્કોર બનાવવાનો શરમજનક રેકોર્ડ

રાષ્ટ્રીય6 mins ago

હરિયાણામાં ત્રીજી વખત ભાજપ સરકાર, નાયબ સૈનીએ મુખ્યમંત્રી પદના લીધા શપથ, PM મોદી, શાહ- નડ્ડા રહ્યા હાજર

ક્રાઇમ38 mins ago

ખંભાળિયામાં સગીર ભત્રીજા દ્વારા ફઈ પર દુષ્કર્મ

ગુજરાત44 mins ago

કાલાવડના આંબેડકર નગરમાં જાતિ પ્રત્યે હડધૂત કરી યુવાન પર 4નો તલવારથી હુમલો

ગુજરાત47 mins ago

જી.જી. હોસ્પિટલના પ્રથમ માળેથી દર્દીએ લગાવી છલાંગ: બાલબાલ બચ્યો: અનેક ફ્રેક્ચર

ગુજરાત49 mins ago

સેન્ટ્રલ બેંક વિસ્તારની ઇચ્છાણી ફળીમાં તસ્કરો ત્રાટકયા: નિંદ્રાધીન વૃધ્ધના મકાનમાંથી રૂા.8.85 લાખની ચોરી

ગુજરાત51 mins ago

પુત્રના ત્રાસથી કંટાળેલા પ્રૌઢનો પોલીસ મથકમાં જ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ

અમરેલી53 mins ago

રાજુલાના ચારનાળા નજીક કાર અડફેટે બાઇકચાલક સહિત બેનાં કરૂણ મોત

ગુજરાત59 mins ago

સોમનાથમાં ગેરકાયદે ડિમોલિશન મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઇ રાહત નહીં, ત્રણ અઠવાડિયા પછીની મુદત પડી

ગુજરાત1 hour ago

એસ.ટી. બસોમાં પણ ખાનગી બસો જેવી સુવિધા આપવામાં આવશે: સંઘવી

આંતરરાષ્ટ્રીય2 days ago

SCO સમિટ માટે વિદેશ મંત્રી એસ. જયશંકર ઇસ્લામાબાદ પહોંચ્યા, 9 વર્ષ બાદ પાકિસ્તાન પહોંચનાર પ્રથમ નેતા

ક્રાઇમ2 days ago

ક્ષત્રિય મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાનો પુત્ર સાથે મળી પતિ ઉપર પાઇપ વડે હુમલો

રાષ્ટ્રીય20 hours ago

10 પત્નીઓ, 6 ગર્લફ્રેન્ડ્સ, 5 સ્ટાર હોટેલમાં રહેઠાણ, પ્લેન અને જેગુઆરમાં ફરતા ,જાણો ઉત્સુક ચોરની કહાની

આંતરરાષ્ટ્રીય20 hours ago

નિક જોનાસના માથા પર લેસર બીમ, પ્રિયંકા ચોપરાના પતિએ ડરીને સ્ટેજ છોડ્યું,જાણો કારણ

આંતરરાષ્ટ્રીય2 days ago

પાકિસ્તાન: પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદની ધરપકડ

આંતરરાષ્ટ્રીય2 days ago

ચૈન્નઇ-તમિલનાડુ ફરી જળબંબાકાર, શાળા-કોલેજોમાં રજા

ગુજરાત2 days ago

પ્રકૃતિના વિકાસમાં સહકાર પણ ખેડૂતોના ભોગે નહીં: કિસાન સંઘ

ગુજરાત2 days ago

આનંદનગર કોલોનીની તરૂણી બે દિવસથી તાવમાં પટકાયા બાદ મોત

આંતરરાષ્ટ્રીય2 days ago

ઇજિપ્તમાં વિદ્યાર્થીઓને લઇ જતી બસનો અકસ્માત, 12 લોકોનાં મોત, 33 ગંભીર

ગુજરાત21 hours ago

મનપામાં ફરિયાદ નોંધાવવા નવો નંબર 155304 જાહેર

Trending