તેલંગણના લક્ષ્મીપુર ગામમાં રહેતા 80 વર્ષના બુઝુર્ગ સમાચારોમાં ચમક્યા છે. નાક્કા ઇન્દ્રૈયા નામના આ કાકાએ બે વર્ષ પહેલાં 12 લાખ રૂૂપિયાના ખર્ચે પોતાને માટે કબર બનાવવાની શરૂૂઆત કરી હતી. 5X6 ફુટની આ કબર સામાન્ય નથી, પણ ગ્રેનાઇટથી બનાવાઈ છે. તેમણે પોતાની આ કબર તેમની સ્વર્ગસ્થ પત્નીની કબરની બાજુમાં જ બનાવડાવી છે. બન્ને કબરની આસપાસ તેમણે નાનકડો બગીચો તૈયાર કર્યો છે.
અહીં નાક્કાભાઈ દરરોજ આવે છે, સાફસફાઈ કરે છે, છોડને પાણી પાય છે, કબરના ગ્રેનાઇટના પથ્થરોને પોલિશ કરે છે અને થોડી વાર શાંતિથી બેસીને પછી ઘરે ચાલ્યા જાય છે. નાક્કા ઇન્દ્રૈયાનું કહેવું છે કે ’આ મકબરો તો મારું ઘર છે. મૃત્યુ પછી હું અહીં જ રહેવાનો છું, એટલે મેં મને ગમતી ડિઝાઇનમાં એ બનાવડાવ્યો છે. મારે કોઈના પર ભારરૂૂપ નહોતું બનવું એટલે મારું અંતિમ સ્થાન મેં જાતે જ નક્કી કરી લીધું છે. મૃત્યુથી ડરવાની શી જરૂૂર, બધાએ એક દિવસ મરવાનું જ છે, હું પણ મરીશ. મને ખબર છે કે મૃત્યુ પછી હું ક્યાં દફન હોઈશ.’
નિવૃત્તિ પહેલાં ક્ધસ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા નાક્કા ઇન્દ્રૈયાનાં બે સંતાનો છે. તેમણે જીવનમાં અનેક ક્ધસ્ટ્રક્શન પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. આ મકબરાને તેઓ પોતાનો છેલ્લો પ્રોજેક્ટ ગણાવે છે. લક્ષ્મીપુર ગામમાં તેમણે મકાનો ઉપરાંત એક સ્કૂલ અને એક ચર્ચ પણ બનાવ્યાં છે.
