ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર 35 કીલોમીટર મા 38 જેટલા બમ્પ હોવાથી વાહનો મા ઈધંળનો બગાડ થાય છે વાહનને, નુકસાન થાય છે અને, સમય બગડતો હોવાથી વાહન ચાલકો અને વિસ્તાર ના લોકો પરેશાન થઈ ગયા છે ત્યારે બમ્પને દુર કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે ધ્રાંગધ્રા થી સુરેન્દ્રનગર 35 કીલોમીટર છે ત્યારે સુરેન્દ્રનગર જવા માટે રોડ પર 38 જેટલા બમ્પ ને, લઈને વાહન ચાલકો પરેશાન થઈ જાય છે વારમ વાર બમ્પ આવતા હોવાથી વાહન ની સ્પીડ નથી જળવાતી ઈધંળનો બગાડ થાય છે અને વાહનને પણ નુકસાન થાય છે.
સાથે સમય પણ બગડે છે ત્યારે રસ્તામા આવતા દરેક ગામમાં ત્રણ થી ચાર બમ્પ કોઈપણ નીયમ વગર બનાવી દેવામાં આવ્યા છે ત્યારે બમ્પને દુર કરવામાં આવે તેવી લોક માગણી ઉઠી છે ત્યારે સામાજિક આગેવાન જયદેવભાઈએ જણાવ્યું કે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર દરેક ગામ પાસે ગેરકાયદે બમ્પ બનાવી દેવામાં આવ્યા છે ત્યારે તેને લઈને અકસ્માત સજાવાનો ભઈ રહે છે સમય નો બગાડ થાય છે તેને, લઈને લોકો પરેશાન થઈ જાય છે ત્યારે ગેરકાયદે બનાવામાં આવેલા બમ્પ હટાવી જોઈએ જેથી વાહન ચાલકોની પરેશાની દુર થાય
સરકારી નિયમ મુજબ હાઈવે રોડ પર બમ્પ બનાવવા ગેરકાયદે ગણાય
સરકાર ના નીયમ મુજબ હાઈવે પર રોડ પર બમ્પ બનાવવા ગેરકાયદે ગણવામાં આવે છે વાહનને નુકસાન થાય સાથે ઈધંળનો બગાડ થાય છે અને સમયનો બગાડ થાય છે તેથી નેશનલ કે સ્ટેટ હાઈવે પર બમ્પ બનાવવા મા આવે, તે ગેરકાયદે ગણવામાં આવે છે છતાં નિયમો ની એસીતેસી કરી ગેરકાયદે બમ્પ બનાવવા આવી રહ્યા છે
