મોરબી બાયપાસ રોડ ઉપર 10 કાચા પાકા દબાણો હટાવાયા

મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ કરવામાં આવેલા દબાણ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મહાપાલિકાની…

મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ કરવામાં આવેલા દબાણ તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી અને મહાપાલિકાની ટીમે કમ્પાઉન્ડ વોલ સહિત કુલ મળીને 10 જેટલા નાના મોટા દબાનોને દૂર કરવામાં આવેલ છે.

મોરબી મહાપાલિકા દ્વારા વન વોર્ડ વન વિક અંતર્ગત જુદા જુદા વિસ્તારમાં રોડ સાઈડના દબાણો દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે દરમિયાન મોરબીના બાયપાસ રોડ ઉપર પરશુરામ બ્રિજથી લઈને ભક્તિનગર સર્કલ સુધીના વિસ્તારમાં રોડની બંને બાજુએ 15 મીટરની જગ્યામાં કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે અંદાજે 20 જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી હતી તે પૈકીના 10 જેટલા આસામીઓએ પોતાના નાના મોટા, કાચા પાકા દબાણ હતા તે જાતે દૂર કરી નાખ્યા હતા જ્યારે આજે મહાપાલિકાની ટીમ દ્વારા જેસીબી વડે કમ્પાઉન્ડ સહિતના 10 જેટલા આસામીઓના દબાણો હતા તેને તોડી પાડવામાં આવેલ છે.

વધુમાં મોરબી મહાપાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના જુદા જુદા વિસ્તારોની અંદર ગેરકાયદેસર જે કોઈ દબાણ કરવામાં આવ્યો હોય તેને દૂર કરવામાં આવે છે અને જે જગ્યાએ અગાઉ ડિમોલેશન કરવામાં આવ્યું હોય અને ત્યાં ફરી પાછું દબાણ કરવામાં આવશે તો મહાપાલિકાની ટિમ તે દબાણને દૂર કરવા માટેની કાર્યવાહી કરશે આમ મોરબીમાં રોડ રસ્તાની સાઈડમાં કરવામાં આવતા દબાણોને કાયમી ધોરણે દૂર કરવા માટેની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *