ભાજપ સાથે વાત કરવા ઉદ્ધવ ઠાકરે તૈયાર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભવિષ્યની રાજકીય શક્યતાઓ પર પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જોડાવાની…

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભવિષ્યની રાજકીય શક્યતાઓ પર પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. એક તરફ ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેના જૂથમાં જોડાવાની ચર્ચા ફરી એકવાર શરૂૂ થઈ છે, તો બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ એક રેલીને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે.


શિવસેના (ઞઇઝ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર જિલ્લાના સિલોદ વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો તેઓ પણ વાત કરવા માંગતા હોય તો તેઓ ભારતીય જનતા પાર્ટી (ઇઉંઙ)ના નેતાઓ સાથે ચર્ચા માટે તૈયાર છે. 2019માં શિવસેના અને બીજેપીનું ગઠબંધન તૂટ્યા બાદ પ્રથમ વખત આ નિવેદન આવ્યું છે.


અહેવાલ મુજબ, ઉદ્ધવ ઠાકરેએ ભાજપના કાર્યકરોની પ્રશંસા કરી અને તેમને શિવસેના (યુબીટી) સાથે હાથ મિલાવવાની અપીલ કરી. તેમણે કહ્યું, અમારા મતભેદો છે, પરંતુ જો તમારા પક્ષમાંથી કોઈ મારી સાથે વાત કરવા માંગે છે, તો હું પણ તૈયાર છું. આપણે એક થવું જોઈએ અને સિલોડની છબી સુધારવી જોઈએ. અબ્દુલ સત્તારને હરાવવાની આ અમારી તક છે.અબ્દુલ સત્તાર હાલમાં એકનાથ શિંદે જૂથમાંથી શિવસેનાના મંત્રી છે. 2019ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ શિવસેનામાં જોડાયા હતા.

તે સમયે શિવસેના એકજૂટ હતી અને પક્ષની કમાન ઉદ્ધવ ઠાકરેના હાથમાં હતી. હવે સત્તાર ફરીથી સિલોદથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં મુસ્લિમ મતદારો લગભગ 20% છે. સત્તારને દેશદ્રોહી ગણાવતા ઉદ્ધવે કહ્યું, દેશદ્રોહીઓએ એક થઈને સત્તાનો દુરુપયોગ કર્યો છે. ગરીબોને હેરાન કરવામાં આવે છે. આવા લોકોને જેલમાં ધકેલી દેવા જોઈએ. મેં તેને 2019 માં સામેલ કરીને ભૂલ કરી છે અને તેના માટે હું માફી માંગુ છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *