આનું નામ રાજકારણ: ઇસ્લામિક ગ્રંથ કુરાનના અપમાનથી ભાજપ નારાજ

ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા…

ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા બાદ ભાજપે મંગળવારે જોરદાર વિરોધ કર્યો હતો.


ભારતીય જનતા પાર્ટી કુરાનના અપમાનને લઈને દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી પર પ્રહારો કરી રહી છે. કુરાનનું અપમાન કરવાના કેસમાં અઅઙ ધારાસભ્યને સજા ફટકારવામાં આવ્યા બાદ ભાજપે મંગળવારે જોરદાર વિરોધ કર્યો હતો. બીજેપીના લઘુમતી મોરચાએ પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમાં નારા-એ-તકબીર અલ્લાહ હુ અકબર જેવા નારા પણ ગુંજ્યા હતા. ભાજપે આપ પાસે માંગ કરી છે કે દોષિત ધારાસભ્ય નરેશ યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવા જોઈએ.


નરેશ યાદવને પંજાબમાં કુરાનનો અનાદર કરવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. 2016ના કેસમાં ગયા શનિવારે પંજાબની માલેરકોટલા જિલ્લા અદાલતે મહેરૌલીના ધારાસભ્યને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે યાદવ પર 11,000 રૂૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. દિલ્હી પ્રદેશ બીજેપીના લઘુમતી મોરચાએ ફિરોઝશાહ રોડ પર આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાન પાસે પ્રદર્શન કર્યું અને તેમની પાર્ટીના ધારાસભ્ય નરેશકુમાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી.


બીજેપીના દિલ્હી યુનિટના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ વિરોધ દરમિયાન કહ્યું, પવિત્ર કુરાનનો અનાદર કરવા બદલ આપ ધારાસભ્યને દોષિત ઠેરવવામાં આવ્યા હોવા છતાં, કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને આમ આદમી પાર્ટીના મુસ્લિમ નેતાઓ ચૂપ છે.


આ કેજરીવાલ અને તેમની પાર્ટીના બેવડા ધોરણોને છતી કરે છે. પ્રદર્શનકારીઓ અશોકા રોડ પર એકઠા થયા અને કેજરીવાલના 5, ફિરોઝશાહ રોડ સ્થિત નિવાસસ્થાન તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે તેમને અટકાવ્યા. પ્રદર્શન દરમિયાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત અલ્લાહ હુ અકબર જેવા ધાર્મિક નારા પણ ગુંજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *