આંતરરાષ્ટ્રીય
ફ્રાંસે મુકત કરેલા 300 ભારતીયો સાથેના વિમાનનું મુંબઇમાં ઉતરાણ
દુબઇથી રવાના થયેલી નિકારાગુઆ જતી 300 ભારતીયો સાથેની ચાર્ટર્ડ ફલાઇટને ફ્રાંસના સત્તાવાળાઓએ ઉડવાની મંજુરી આપતા આ વિમાન આજે બપોરે મુંબઇ આવી પહોંચ્યું હતું.
સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય સત્તાવાળાઓ હવે આ મુસાફરોની પુછપરછ કરી તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશે. ઉલ્લેખનીય છે કે આ વિમાનમાં ગુજરાતના 96 સહીત પંજાબના મુસાફરો અમેરિકન ડ્રીમ સાકાર કરવા દુબઇથી રવાના થયા હતા. પરંતુ પુર્વ બાતમીના આધારે ફ્રાંસે આ ફલાઇટ અટકાવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.
અગાઉના અહેવાલો મુજબ 300 ભારતીયો સાથેનું વિમાન ફ્રાન્સમાં ઘૂસણખોરીની આશંકાથી રોકાયેલું હતું. ફ્રાન્સની કોર્ટના આદેશ બાદ તેને ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવી હતી.
ફ્રાન્સ સતાવાળાઓએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે મુસાફરોને ભારત મોકલવામાં આવશે. આ અંગે ફ્રેન્ચ કે ભારતીય અધિકારીઓએ કોઈ પુષ્ટિ કરી નથી. રવિવારે ચાર ન્યાયાધીશોએ અટકાયતમાં લેવાયેલા મુસાફરોની પૂછપરછ કર્યા બાદ વિમાનને રવાના કરવાનો આદેશ આપ્યો હતો. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, પ્લેનમાં હાજર 2 લોકો પ્લેનમાં મુસાફરી કરી રહેલા 300 લોકો કરતા અલગ છે. તેઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી.
તે જ સમયે, 10 લોકોએ ફ્રાન્સને તેમને શરણ આપવાની માગ કરી છે. તમામ લોકો કામદાર હોવાનું કહેવાય છે, જેમને નિકારાગુઆ થઈને અમેરિકા અને કેનેડા મોકલવામાં આવી રહ્યા હતા. અહેવાલ મુજબ, 300 ભારતીયોમાંથી 11 સગીર છે જેઓ તેમના માતાપિતા સાથે નથી. તે જ સમયે પ્લેનમાં સવાર મોટાભાગના ભારતીયો પંજાબ અને ગુજરાતના હોવાનું કહેવાય છે. આ મામલાને લગતો અહેવાલ ભારત સરકારને મોકલવામાં આવ્યો છે. દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા ભારતીય નાગરિકોને લઈને જતું વિમાન ઈંધણ ભરવા માટે વેટ્રી એરપોર્ટ પર ઉતર્યું હતું. આ સમય દરમિયાન ફ્રેન્ચ અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને લઇ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ ફ્લાઇટને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવી હતી.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, ફ્રેન્ચ ન્યાયાધીશોએ પ્રક્રિયાઓની અનિયમિતતાને કારણે 300 થી વધુ મુસાફરોની સુનાવણી રદ કરવાનું પસંદ કર્યું અને રોમાનિયન કંપની લિજેન્ડ એરલાઈન્સ દ્વારા સંચાલિત એ-340 વિમાનને જવા માટે અધિકૃત કર્યું. ચાર ન્યાયાધીશોએ દિવસની શરૂૂઆતમાં પેરિસ નજીક વેટ્રી એરપોર્ટ પર ફ્રેન્ચ અધિકારીઓ દ્વારા અટકાયતમાં લેવામાં આવેલા મુસાફરોની પૂછપરછ શરૂૂ કરી હતી.
ફ્રેન્ચ મીડિયા અનુસાર, કેટલાક મુસાફરો હિન્દી બોલતા હતા, જ્યારે કેટલાક તમિલ બોલતા હતા. તેમને ટેલિફોન દ્વારા તેમના પરિવારનો સંપર્ક કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તેમાંથી દસ મુસાફરોએ આશ્રયની વિનંતી કરી હતી. શુક્રવારથી કસ્ટડીમાં રહેલા બે મુસાફરોની અટકાયત શનિવારે 48 કલાક સુધી લંબાવવામાં આવી હતી.