(5 ફેબ્રુઆરી) જમ્મુ અને કાશ્મીર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે 2024 અને 2025માં કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા કરડવાના બે લાખથી વધુ કેસ નોંધાયા હતા, જેમાં જમ્મુ જિલ્લામાં 1.26 લાખથી વધુ ઘટનાઓ નોંધાઈ હતી. જમ્મુ અને કાશ્મીર વિધાનસભામાં આરોગ્ય મંત્રી સકીના ઇટુએ નેશનલ કોન્ફરન્સના સભ્ય મુબારક ગુલના પ્રશ્નના લેખિત જવાબમાં આ વાતનો ખુલાસો કર્યો.
જિલ્લાવાર આંકડા શેર કરતા મંત્રીએ જણાવ્યું હતું કે બે વર્ષના સમયગાળા દરમિયાન કેન્દ્રશાસિત પ્રદેશમાં કૂતરા કરડવાના 2,06,460 કેસ નોંધાયા હતા, જેમાં 2024માં 93,765 કેસ અને 2025માં 1,12,695 કેસનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ અને કાશ્મીરમાં વિવિધ એનજીઓ દ્વારા છેલ્લા કેટલાક સમયથી રખડતા કુતરાઓ વિરૂધ્ધ ઝુંબેશ ચલાવવામાં આવે છે. તેઓ સરઘસ પણ કાઢે છે અને સરકારને પગલા લેવા માટે આગ્રહ કરે છે. ગત સોમવારે આવી એક રેલીમાં શ્રીનગરમાંથી પસાર થતા એમના કાર્યકરોના હાથમાં સુત્રો લખેલા બોર્ડ હતા જેમાંના એકમાં લખ્યું હતું કે ‘હમારા દુશ્મન પાકિસ્તાન નહીં, કુત્તા હૈ’.
