અમારી પુત્રીએ ગુરુ પાસેથી દિક્ષા લીધી છે, સંન્યાસ લીધો નથી

  પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની સુંદરતા અને ગ્લેમરના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હર્ષા રિછારિયાના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પુત્રીએ ગુરુ પાસેથી દીક્ષા…

 

પ્રયાગરાજ મહાકુંભમાં પોતાની સુંદરતા અને ગ્લેમરના કારણે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી હર્ષા રિછારિયાના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પુત્રીએ ગુરુ પાસેથી દીક્ષા લીધી છે અને સન્યાસ લીધો નથી. અમે તેની સાથે જલ્દી લગ્ન કરાવી દઇશું. તે બાળપણથી જ આધ્યાત્મિકતા તરફ ઝૂકેલી છે. તે સ્નાન કરીને પૂજા કર્યા પછી જ નાસ્તો કરતી હતી. તે 10-11 વર્ષની ઉંમરથી આ નિત્યક્રમ ધરાવે છે.

આ સાથે જ્યારે તેમને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, શું હર્ષા રિછારિયા એ નિવૃત્તિ લઈ લીધી છે? ત્યારે તેમના માતા-પિતાએ કહ્યું કે, પહેલી વાત એ છે કે, તેણે ગુરુ પાસેથી દીક્ષા લીધી છે અને સન્યાસ નથી લીધો. બીજુ આધ્યાત્મિકતા તરફ આગળ વધવું એ દરેક વ્યક્તિનું કર્તવ્ય હોવું જોઈએ અને તેણે તે કરવું પણ જોઈએ. હર્ષના માતા-પિતાએ જણાવ્યું કે, અમે 2004માં કુંભમાં સ્નાન કરવા ઉજ્જૈન આવ્યા હતા અને ત્યારપછી ભોલેનાથની એટલી કૃપા થઈ કે અમે અહીં જ રોકાઈ ગયા. તેનું શિક્ષણ અહીં છે. BBAનો અભ્યાસ કર્યો.

જ્યારે તે 18-19 વર્ષની હતી ત્યારે તેણે એન્કરિંગના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. જ્યારે કૈલાશ આનંદજીએ હરિદ્વારમાં ગુરુજી મહારાજને વિનંતી કરી ત્યારે તેમણે દીક્ષા આપી. ત્યાં તેમની સંગતમાં રહીને મંત્ર, પૂજા વગેરે ક્ષેત્રે કેવી રીતે આગળ વધવું તે શીખ્યા. આ અંગે તેમનું માર્ગદર્શન લેતા રહ્યા અને આગળ વધતા રહ્યા. જ્યાં સુધી કુંભની વાત છે, તેમણે 30મીની આસપાસ કુંભ માટે ચર્ચા કરી હતી. ફોન કરીને કહ્યું હતું કે, પપ્પા, અમે ગુરુજી સાથે ત્યાં જઈએ છીએ અને લગભગ એક મહિનો રહીશું અને કલ્પવાસ કરીશું. અમે કહ્યું ઠીક છે, કોઈ વાંધો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *