મહારાષ્ટ્રના મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મતદાન દરમિયાન શાહી લગાવવા માટે માર્કર પેનના ઉપયોગ અંગેના ઉગ્ર વિવાદ વચ્ચે, કારણ કે શાહી સાફ થઈ જવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતા, રાજ્ય ચૂંટણી પંચે ફેબ્રુઆરી 2026 માં જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિઓની ચૂંટણી દરમિયાન આંગળી પર શાહી લગાવવાની પરંપરાગત રીત પર પાછા ફરવાનો નિર્ણય લીધો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનોની ચૂંટણીમાં, કોર્સ ઇન્ડિયા લિમિટેડ પાસેથી મેળવેલા અમીટ-શાહી માર્કર પેન, છેલ્લા ઘણા દાયકાઓથી અમીટ શાહી પ્રદાન કરે છે અને 2011 થી મહારાષ્ટ્રમાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દરમિયાન, બૃહનમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (ઇખઈ) ચૂંટણી સહિત મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણી દરમિયાન મતદારોની આંગળીઓ પર શાહી લગાવવા માટે માર્કર પેનનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાના દાવાઓ સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર ’નાગરિકોને ગેસલાઇટ’ કરવાનો આરોપ લગાવ્યો. “ચૂંટણી પંચ નાગરિકોને ગેસલાઇટ કરે છે તે આપણા લોકશાહીમાં વિશ્વાસ કેવી રીતે તૂટ્યો છે. વોટ ચોરી એ રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે,” રાહુલ ગાંધીએ ડ પર એક પોસ્ટમાં કહ્યું.રાહુલના આક્ષેપના જવાબમાં ભાજપના પ્રવકતા શહેનાઝ પુનાવાલાએ જણાવ્યું કે “બહાના બ્રિગેડ પાછી આવી! ગણતરી પૂરી થાય તે પહેલાં હાર સ્વીકારી? રાહુલ જે શ્રેષ્ઠ કરે છે તે કરવા પાછા ફર્યા.
બદનામ કરો, વિકૃત કરો અને ખોટી માહિતી આપો. ખાનદાની ચોર હવે ઠાકરે પરિવારના દાવાઓ ફરી રહ્યા છે. રાહુલે બિહાર ચૂંટણી પર કરેલા આરોપોમાંથી શું બહાર આવ્યું? જઊઈ એ તપાસ કરવાનો નિર્ણય લીધો છે, જે ફક્ત શાહીની ગુણવત્તા જ નહીં પરંતુ દિવસભર ફરતા થયેલા વીડિયોની પણ તપાસ કરશે. વીડિયોની તપાસ એ નક્કી કરવા માટે છે કે શાહી મતદાન કરતી વખતે આંગળી પર લગાવવામાં આવી હતી કે તોફાની રીતે, વાઘમારેએ જણાવ્યું હતું કે, જો એવું જાણવા મળે કે લોકોએ ખોટી વાર્તા બનાવવાનો પ્રયાસ કર્યો છે, તો યોગ્ય પગલાં લેવામાં આવશે.
