આરોપી મહિલાનો ગુનાઇત ઇરાદો નહોતો, એફઆઇઆર રદ કરતી પંજાબ-હરિયાણા હાઇકોર્ટ
જન્મષ્ટમીના અવસરે પોતાના પાલતુ કૂતરાને ભગવાન કૃષ્ણ જેવો પહેરાવવો અને તેનો ફોટો વોટ્સએપ સ્ટેટસ પર પોસ્ટ કરવો એ ગુનો નથી. એક મહત્વપૂર્ણ ચુકાદામાં, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહિલા સામે નોંધાયેલ ઋઈંછ રદ કરી, આ અવલોકન કર્યું. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ કૃત્ય પ્રેમ અને ભક્તિથી પ્રેરિત હતું, કોઈ ધર્મનું અપમાન કરવાના ઈરાદાથી નહીં. 1 જુલાઈના રોજ પસાર કરાયેલા આદેશમાં, ન્યાયાધીશ સુભાષ મેહલાની આગેવાની હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે મહિલાના કૃત્ય પાછળ કોઈ ગુનાહિત ઈરાદો નહોતો.
બાર અને બેન્ચના અહેવાલ મુજબ, સુનાવણી દરમિયાન કોર્ટે નોંધ્યું હતું કે આરોપી મહિલા લગ્નના છ વર્ષ પછી પણ નિ:સંતાન રહે છે અને તેના પાલતુ કૂતરાને તેના પોતાના બાળકની જેમ જ પ્રેમ કરે છે. કોર્ટે જણાવ્યું હતું કે કૂતરાને ’કાન્હા’નો પોશાક પહેરાવવો અથવા તેનો ફોટો વોટ્સએપ પર શેર કરવો એ કોઈપણ પવિત્ર વસ્તુનો અનાદર કરવા જેવું નથી. તે ઊંડા પ્રેમથી જન્મેલું કૃત્ય હતું, દ્વેષથી નહીં.
મહત્વપૂર્ણ અવલોકન કરતા, ન્યાયાધીશ મેહલાએ જણાવ્યું હતું કે, અરજદારની વ્યક્તિગત અભિવ્યક્તિને ફક્ત એટલા માટે ગુનાના દાયરામાં લાવી શકાતી નથી કારણ કે તે અન્યની સંવેદનશીલતા સાથે સુસંગત નથી. ગુનાહિત ઈરાદાની ગેરહાજરીમાં કાનૂની કાર્યવાહી શરૂૂ કરી શકાતી નથી. કોર્ટે નોંધ્યું હતું કે જન્માષ્ટમી પર, મહિલાનું ધ્યાન ભગવાન કૃષ્ણ પર હતું. પોતાના કૂતરાને – જેને તે બાળકની જેમ પ્રેમ કરતી હતી – શણગારવી એ ’ભક્તિ યોગ’ (ભક્તિ) નું કાર્ય હતું. કૃષ્ણ માટે, ભક્તની લાગણીઓની શુદ્ધતા ચોક્કસ પોશાક અથવા તેમાં સામેલ જાતિ કરતાં વધુ મહત્વપૂર્ણ છે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ 298 નું વિશ્ર્લેષણ કરતા, કોર્ટે જણાવ્યું હતું કે કૂતરા દ્વારા પહેરવામાં આવતા પીળા કપડાં, મુગટ અને ઘરેણાં કાયદાના અર્થમાં ’પવિત્ર વસ્તુ’ નથી. આ કલમ ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે કોઈ પવિત્ર વસ્તુને ગુનાહિત ઇરાદાથી નુકસાન પહોંચાડવામાં આવે છે.
ચુકાદામાં ભગવદ ગીતા, મહાભારત અને હિન્દુ પૌરાણિક કથાઓનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોર્ટે અવલોકન કર્યું કે પ્રાણીઓને માનવ ગુણો અથવા દૈવી સ્વરૂૂપો આપવા (માનવરૂૂપવાદ) ભારતીય સંસ્કૃતિમાં નવું નથી. ભગવાન હનુમાન, ભગવાન ગણેશ, ગરુડ અને નંદી જેવા દેવતાઓ – જેમના સ્વરૂૂપો પ્રાણી સામ્રાજ્ય સાથે જોડાયેલા છે – અત્યંત લોકપ્રિય છે.
