પ્રિયંકાને પીએમ બનાવો: મસુદના સૂરમાં સૂર પૂરાવતા પતિ રોબર્ટ વડરા

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના એક નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મસૂદે માગ કરી હતી કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે. હવે…

કોંગ્રેસના સાંસદ ઈમરાન મસૂદના એક નિવેદને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે. મસૂદે માગ કરી હતી કે પ્રિયંકા ગાંધીને વડાપ્રધાન પદનો ચહેરો બનાવવામાં આવે. હવે આ નિવેદનને પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાએ પણ સમર્થન આપ્યું છે. વાડ્રાએ પત્ની પ્રિયંકાના વખાણ કરતા કહ્યું કે, લોકો તેમને દેશના વડાપ્રધાન તરીકે જોવા માંગે છે અને તે માત્ર સમયની વાત છે.રોબર્ટ વાડ્રાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પ્રિયંકા ગાંધીમાં નેતૃત્વની અદભૂત ક્ષમતા છે અને તેઓ જમીની સ્તરના મુદ્દાઓને સારી રીતે સમજે છે.

એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં રોબર્ટ વાડ્રાએ કહ્યું, “પ્રિયંકા દેશમાં કેવા પ્રકારના પરિવર્તનની જરૂૂર છે તે સારી રીતે જાણે છે. તે માત્ર પોતાની વાત નથી રાખતી, પણ લોકોની વાત સાંભળવામાં પણ વિશ્વાસ રાખે છે. તેમણે પોતાની દાદી ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પાસેથી ઘણું શીખ્યું છે. લોકો તેમને પસંદ કરે છે કારણ કે તેઓ દિલથી બોલે છે.”

જ્યારે સાંસદ ઈમરાન મસૂદે કહ્યું કે પ્રિયંકા ગાંધી તેમની દાદી ઈન્દિરા ગાંધી જેવા જ મજબૂત વડાપ્રધાન સાબિત થઈ શકે છે. મસૂદે બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ સાથેની ઘટનાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે જો પ્રિયંકા વડાપ્રધાન હોત તો આવા મામલામાં અત્યંત કડક અને મજબૂત નિર્ણય લીધો હોત.

ભાજપના પ્રવક્તા શહજાદ પૂનાવાલાએ આરોપ લગાવ્યો કે રાહુલ ગાંધી વિદેશ જઈને ભારતની છબી ખરાબ કરી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે હવે જનતાનો રાહુલ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, તેથી જ હવે તેમના પોતાના પરિવાર અને ગઠબંધનના સાથીઓ પ્રિયંકા ગાંધીના નામ પર ભાર મૂકી રહ્યા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *