ચર્ચિત અને લોકપ્રિય ’મિર્ઝાપુર’ ફ્રેન્ચાઈઝી હવે મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ સ્ટારર આગામી ચલચિત્ર ’મિર્ઝાપુર: ધ મૂવી’ ને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેકર્સે 31 ઓગસ્ટથી એડવાન્સ ટિકિટ બુકિંગ શરૂૂ કર્યું હતું, અને શરૂૂઆતી આંકડા જ દર્શાવે છે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ જૂના રેકોર્ડ તોડી શકે છે.
સેકનિલ્કના આંકડા મુજબ, એડવાન્સ બુકિંગ ખુલ્લાના ગણતરીનાકલાકોમાં જ પ્રક્ષકોએ ટિકિટો બુક કરાવવાની હોડ લગાવી હતી. 2 સપ્ટેમ્બરની સવાર સુધીમાં ફિલ્મની 68,000 થી વધુ ટિકિટો વેચાઈ ચૂકી છે, જેનાથી 1.98 કરોડનું ડાયરેક્ટ કલેક્શન થયું છે. બ્લોક સીટ્સના આંકડા ઉમેરવામાં આવે તો રિલીઝ પહેલાંનો આ વેપાર 3.34 કરોડને સ્પર્શી ગયો. આ ફિલ્મ 4 સપ્ટેમ્બરે થિયેટરોમાં રિલીઝ થવાની છે. સિનેમાપ્રેમીઓનાપ્રતિસાદને જોતાં માનવામાં આવી રહ્યું છે કે રિલીઝ ડેટ સુધીમાં એડવાન્સ બુકિંગનો આંકડો યફતશહુ 1 લાખ ટિકિટોને પાર કરી જશે.
