મહાકુંભમાં વસંતપંચમીના અમૃત સ્નાનમાં માનવ મહેરામણ ઊમટ્યો

મુખ્યમંત્રી યોગીની સીધી નજર હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા: નાગાસાધુઓના હેરતભર્યા કરતબ: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા: આજે પાંચ કરોડ ભકતો પુણ્યનું ભાથુ બાંધેે તેવો અંદાજ   વસંત…

મુખ્યમંત્રી યોગીની સીધી નજર હેઠળ કડક સુરક્ષા વ્યવસ્થા: નાગાસાધુઓના હેરતભર્યા કરતબ: હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા: આજે પાંચ કરોડ ભકતો પુણ્યનું ભાથુ બાંધેે તેવો અંદાજ

 

વસંત પંચમીના પવિત્ર અવસરે ત્રિવેણી સંગમ ખાતે અમૃત સ્નાન કરવા માટે શ્રદ્ધાળુઓનો સાગર ઉમટ્યો હતો. મહા કુંભના ત્રીજા અમૃત સ્નાન પર કરોડો ભક્તો પુણ્યની કામના સાથે મોડી રાતથી સંગમની રેતી પર એકઠા થવા લાગ્યા હતા. આખો મેળો વિસ્તાર હર હર ગંગે, બમ બમ ભોલે અને જય શ્રી રામના નારાઓથી ગુંજી ઉઠ્યો હતો.

અખાડાઓનું ત્રીજું અને છેલ્લું અમૃતસ્નાન સવારે લગભગ 3 વાગ્યે શરૂૂ થયું હતું. આ દરમિયાન નાગા સાધુ કરતબ કરતા જોવા મળ્યા હતા. હેલિકોપ્ટર દ્વારા મહાકુંભમાં આવેલા શ્રદ્ધાળુઓ પર વહીવટીતંત્ર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી. વસંત પંચમીના શુભ અવસર પર અત્યાર સુધીમાં 62.25 લાખ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે.

પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 34.97 કરોડ લોકોએ સંગમમાં સ્નાન કર્યું છે. વહિવટીતંત્રના અંદાજ મુજબ આજે પાંચ કરોડ ભકતો સંગમ સ્નાન કરશે
સીએમ યોગીની ખાસ સૂચના પર કડક સુરક્ષા વ્યવસ્થા છે. મહા કુંભ મેળાના વિસ્તારમાં ડીઆઈજી અને એસએસપી પોતે ફિલ્ડમાં છે અને વ્યવસ્થા પર નજર રાખી રહ્યા છે.
ભક્તો, ઋષિ-મુનિઓની સાથે મહામંડલેશ્વર અને દેશ-વિદેશના ભક્તો સંગમમાં પવિત્ર સ્નાન કરતા જોવા મળ્યા હતા. આ સાથે જ ખૂબ જ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. વાહનવ્યવહાર સંપૂર્ણપણે સુચારૂૂ રહ્યો હતો અને શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધાનો સામનો કરવો પડ્યો ન હતો. સ્નાન કર્યા બાદ ભક્તો દાન-પુણ્ય કરતા જોવા મળ્યા હતા. વસંત પંચમીના રોજ અમૃત સ્નાન દરમિયાન મહાકુંભનું ડિજિટલ સ્વરૂૂપ પણ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

જ્યાં દરેક વ્યક્તિ આ દિવ્ય અનુભવને પોતાના કેમેરામાં કેદ કરવા માટે ઉત્સાહિત જણાતો હતો. સંગમના કિનારે, ઉત્સાહિત ભક્તોએ માળાથી લદાયેલા સંતો પર ફૂલોની વર્ષા કરી અને તેમનું સ્વાગત કર્યું. જેના કારણે સમગ્ર મહાકુંભનું વાતાવરણ વધુ ભવ્ય બન્યું હતું.

મહાકુંભ 2025 ના છેલ્લા અમૃત સ્નાન દરમિયાન નાગા સાધુઓનું અદભૂત પ્રદર્શન ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ત્રિવેણી કિનારે આ સાધુઓની પરંપરાગત અને અનોખી પ્રવૃત્તિઓએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ નાગા સાધુઓની શિસ્ત અને પરંપરાગત શસ્ત્ર કૌશલ્ય, જેઓ અમૃત સ્નાન માટે મોટાભાગના અખાડાઓનું નેતૃત્વ કરી રહ્યા હતા, તે જોવા લાયક હતા. ક્યારેક ઢોલ વગાડતા અને ક્યારેક ભાલા અને તલવારો લહેરાવતા આ સાધુઓએ અદ્ભુત માર્શલ આર્ટનું પ્રદર્શન કર્યું. આ સાધુઓ લાકડીઓ હલાવીને અને ટીખળ રમીને તેમની પરંપરા અને ઉત્સાહનું પ્રદર્શન કરી રહ્યા હતા.

વસંત પંચમીના અમૃતસ્નાન માટે અખાડાઓની શોભાયાત્રામાં, કેટલાક નાગા સાધુઓ ઘોડા પર સવાર હતા અને કેટલાક પગપાળા ચાલી રહ્યા હતા, તેઓ તેમના વિશિષ્ટ વસ્ત્રો અને આભૂષણોમાં સજ્જ હતા. તેમના વાળમાં ફૂલો, ફૂલોની માળા અને ત્રિશૂળ હવામાં લહેરાવી, તેઓએ મહાકુંભની પવિત્રતાને વધુ વધારવી. આ સ્વ-શિસ્તબદ્ધ સાધુઓને કોઈ રોકી શક્યું નહીં, પરંતુ તેઓ તેમના અખાડાઓના ઉચ્ચ અધિકારીઓના આદેશને અનુસરીને આગળ વધ્યા.

મહાકુંભમાં ભાગદોડની ઘટના બાદ 25% લોકોએ હોટેલ બુકિંગ રદ કરાવ્યુંં
પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગની ઘટના બાદ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. નાસભાગ બાદ મહાકુંભમાં વ્યવસ્થાને લઇને લોકોના મનમાં સવાલો ઉદભવી રહ્યા છે. શ્રદ્ધાળુઓએ પોતાની યાત્રાને ટાળી દીધી છે. જેની અસર અહીંની હોટલ, રેસ્ટોરેન્ટ સહિત તમામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર પર પણ તેની અસર જોવા મળી રહી છે. ગત બે દિવસમાં 25 ટકા શ્રદ્ધાળુઓએ હોટલ બુકિંગ કેન્સલ કરી દીધું છે. મહાકુંભના પહેલાં દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ મહાકુંભમાં પહોંચી રહ્યા હતા. જેના લીધે અહીં સ્થિત તમામ હોટલોનું બુકિંગ ફૂલ હતું. પરંતુ હવે નવા બુકિંગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો બીજી તરફ નાસભાગ પહેલાં જેમણે હોટલોમાં રૂૂમ કર્યા હતા, તેમાંથી 25 ટકા શ્રદ્ધાળુઓએ બુકિંગ કેન્સલ કરી દીધા છે. પ્રયાગરાજ હોટલ અને રેસ્ટોરેન્ટ એસોસિએશનના અધ્યક્ષ હરજેન્દ્ર સિંહે કહ્યું કે આ શ્રદ્ધાળુઓએ કુંભ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય થતાં તેમને માહિતગાર કરવા માટે કહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *