આંતરરાષ્ટ્રીય

હુથી બળવાખોરોએ ગનપાઉડર વડે એક મિલિયન બેરલ તેલ ભરેલુ જહાજ ઉડાવ્યું

Published

on

એડનની ખાડીમાં બે મિસાઇલ પણ છોડી

શુક્રવારે મોડી સાંજે એડનની ખાડીમાં 1 મિલિયન બેરલ તેલ વહન કરતા જહાજ પર બે મિસાઇલ છોડવામાં આવી હતી જે નજીકના પાણીમાં પડી હતી, અમેરિકાએ આ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અધિકારીઓને આ હુમલા પાછળ યમનના હુથી બળવાખોરોની શંકા છે. આ હુમલા પહેલા, હુથી બળવાખોરોએ ગ્રીક ધ્વજવાળા ઓઈલ ટેન્કરમાં પ્રવેશ કર્યો હતો અને તેમાં વિસ્ફોટકો મૂક્યા હતા, જેના કારણે પાછળથી અનેક વિસ્ફોટ થયા હતા.


ટેન્કરના વિસ્ફોટથી લાલ સમુદ્રમાં મોટા પાયે તેલનો ફેલાવો થવાનો ખતરો છે. જ્યારે બળવાખોર સંગઠન હુથીના સૈન્ય પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે, સોનિયન, એક કંપનીનું જહાજ જેણે લાલ સમુદ્રમાં ઇઝરાયલ જહાજ સામે યમનના જૂથ દ્વારા જાહેર કરાયેલ નાકાબંધીનું ભંગ કર્યું હતું, તે અકસ્માતનો ભોગ બન્યું હતું.


વાસ્તવમાં લાલ સમુદ્રમાં તણાવની સ્થિતિ યથાવત છે. હુથી લડવૈયાઓએ ગનપાઉડર સાથે 1 મિલિયન બેરલ તેલ વહન કરતા જહાજને ઉડાવી દીધું. હુથીએ આ ભયાનક દ્રશ્યનો એક વિડિયો જાહેર કર્યો, જેમાં તેમના લડવૈયાઓ ઓઈલ ટેન્કર સોનિયનમાં સવાર થઈને તે જહાજ પર વિસ્ફોટક વિસ્ફોટ કરતા જોવા મળે છે, જો કે, આ મહિનાની શરૂૂઆતમાં આ હુમલો લાલ સમુદ્રમાં કરવામાં આવ્યો હતો ઇઝરાયેલ-હમાસ યુદ્ધના પગલે દર વર્ષે લાલ સમુદ્ર દ્વારા ગાઝા પટ્ટીમાં મોકલવામાં આવતા એક અબજ યુએસ ડોલરના માલસામાનના પુરવઠામાં વિક્ષેપ પડ્યો.બ્રિટિશ સૈન્યના યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) સેન્ટરે જણાવ્યું હતું કે શુક્રવારના હુમલા દરમિયાન એડનથી લગભગ 240 કિલોમીટર પૂર્વમાં જહાજની નજીક બે મિસાઇલો પડી હતી.

યુકેએમટીઓએ જણાવ્યું હતું કે જહાજે જાણ કરી હતી કે તમામ ક્રૂ સભ્યો સુરક્ષિત છે. કેસની તપાસ ચાલી રહી છે. હુતી વિદ્રોહીઓએ હજુ સુધી આ હુમલાની જવાબદારી લીધી નથી. ઓક્ટોબરમાં ગાઝામાં યુદ્ધ શરૂૂ થયું ત્યારથી તેઓએ 80 થી વધુ જહાજો પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version