80 કરોડના માલિક, 400 પુસ્તકોના લેખકને પરિવારજનોએ ન આપી કાંધ

ખંડેલવાલના અંતિમ સંસ્કાર માં તેમના પરિવારજન ઉપસ્થિત રહ્યા નહોતા. આ વાર્તા માત્ર એક લેખકના મૃત્યુ વિશે નથી, પરંતુ પરિવાર અને સમાજની અસંવેદનશીલતાનું પ્રતિબિંબ છે. તેમના…

ખંડેલવાલના અંતિમ સંસ્કાર માં તેમના પરિવારજન ઉપસ્થિત રહ્યા નહોતા. આ વાર્તા માત્ર એક લેખકના મૃત્યુ વિશે નથી, પરંતુ પરિવાર અને સમાજની અસંવેદનશીલતાનું પ્રતિબિંબ છે. તેમના અંતિમ સંસ્કારમાં તેમના પરિવારના કોઈ સભ્યો હાજર ન રહેતા અમન કબીરે આખરે પુત્ર તરીકે તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા.

સામાજિક કાર્યકર્તા અમન કબીરે કહ્યું, જ્યારે મેં તેમની ચિતા પ્રગટાવી, ત્યારે લાગ્યું કે હું મારા પિતાને વિદાય આપી રહ્યો છું. અમને જણાવ્યું હતું કે ખંડેલવાલના પુત્ર અને પુત્રીને તેમના મૃત્યુ વિશે જાણ કરવામાં આવી હતી પરંતુ તેઓએ આવવાનો ઇનકાર કર્યો હતો. દીકરીએ નવ કોલ અને એક મેસેજનો જવાબ આપ્યો ન હતો.

અમને મોહનસરાય ઘાટ પર ખંડેલવાલજીની અંતિમ વિધિ કરી અને તેમનું પિંડ દાન કરવાનું પણ નક્કી કર્યું.
17મી માર્ચ, 2024ના રોજ વૃદ્ધાશ્રમમાં વિતાવેલો છેલ્લો દિવસ શ્રીનાથ ખંડેલવાલ કાશી રક્તપિત્ત સેવા સંઘના વૃદ્ધાશ્રમ સારનાથ પહોંચ્યા હતા. તેમણે ત્યાં નવ મહિના ગાળ્યા હતા. આશ્રમના કેરટેકર રમેશ ચંદ્ર શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ખંડેલવાલને કિડની અને હૃદયની સમસ્યા હતી.

આ સમસ્યાઓ હોવા છતાં, તેઓ નિયમિતપણે સવારે અને સાંજે સ્નાન કરતા હતા અને પોતાના લેખનમાં ડૂબી જતા હતા. આ નવ મહિનામાં તેમણે પાંચ પુસ્તકો લખ્યા, જે હવે પ્રકાશિત થવાના છે. જોકે, તેમનું મહત્વાકાંક્ષી પુસ્તક નરસિમ્હા પુરાણ અધૂરું રહ્યું હતું.

25 ડિસેમ્બરના રોજ ખંડેલવાલજીની તબિયત બગડ્યા બાદ તેમને દિર્ઘાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.તેમણે 28 ડિસેમ્બરની સવારે અંતિમ શ્વાસ લીધા હતા. આશ્રમ મેનેજમેન્ટે તેના પરિવારના સભ્યોને જાણ કરી હતી. પુત્ર વારાણસીમાં નથી એમ કહીને આવ્યો ન હતો. છોકરીએ જવાબ ન આપ્યો. પરિવારના સભ્યો ન આવતાં અમન કબીરે તેમની અંતિમ વિધિ કરી હતી.

ખંડેલવાલજીના સહયોગી અમૃત અગ્રવાલ ઘણીવાર તેમની મદદ માટે આગળ આવતા હતા. અમૃતે બે વાર ખંડેલવાલજીના હોસ્પિટલનો ખર્ચ સંભાળ્યો અને આશ્રમમાં તેમની જરૂૂરિયાતોનું ધ્યાન રાખ્યું હતું.
કહેવાય છે કે અમૃતના પિતા ખંડેલવાલજીના વકીલ હતા. અમૃત જ તેમને લેખન સામગ્રી અને પૈસા આપતો હતો.400 પુસ્તકો લખનાર સાહિત્યકારના નિધન પર કાશીના કોઈ લેખક, સંસ્થા કે પરિવારે શ્રદ્ધાંજલિ આપી ન હતી. આ ઘટના કાશીના સાહિત્યિક અને સામાજિક વાતાવરણ પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યુમાં ખંડેલવાલે કહ્યું હતું, કંઈપણ જૂનું ન પૂછો. હવે એક નવો ખંડેલવાલ છે, જે માત્ર પુસ્તકો લખી રહ્યો છે. જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી પેન ચાલતી રહેશે.

ખંડેલવાલે પોતાના જીવનકાળમાં 400થી વધુ પુસ્તકો લખ્યા હતા. વૃદ્ધાશ્રમમાં તેમના સમય દરમિયાન, તેમણે પાંચ નવા પુસ્તકો લખ્યા હતા, જે હવે પબ્લિશ થશે. પરંતુ તેમનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ નનરસિમ્હા પુરાણથ અધૂરો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *