ગડકરીએ દેશમાં સેક્સ રેશિયો જાળવવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો એવો સમય આવે છે કે જ્યાં 1500 મહિલાઓ હોય અને માત્ર 1000 પુરૂૂષો હોય તો આપણે પુરુષોને બે પત્નીઓ રાખવાની મંજૂરી આપવી પડી શકે છે.
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લિવ-ઈન રિલેશનશિપ અને ગે લગ્નને સમાજના નિયમો વિરુદ્ધ ગણાવ્યા અને કહ્યું કે તેનાથી સામાજિક માળખું પડી ભાંગી શકે છે. યુટ્યુબ પોડકાસ્ટમાં લિવ-ઈન રિલેશનશીપ પર પોતાના મંતવ્યો શેર કરતી વખતે ગડકરીએ તેને ખોટું ગણાવ્યું.
તેમણે કહ્યું કે એક વખત તેઓ બ્રિટિશ સંસદની મુલાકાતે લંડન ગયા હતા, જ્યાં તેમણે બ્રિટિશ વડા પ્રધાન અને વિદેશ પ્રધાનને દેશના મુખ્ય મુદ્દાઓ વિશે પૂછ્યું હતું. આ દરમિયાન તેણે કહ્યું કે યુરોપીયન દેશોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે પુરુષો અને મહિલાઓ લગ્ન કરવામાં રસ નથી લેતા અને તેઓ લિવ-ઈન રિલેશનશિપને પસંદ કરી રહ્યા છે.ગડકરીએ એમ પણ કહ્યું કે જો લોકો લગ્ન નહીં કરે તો તેમને બાળકો કેવી રીતે થશે અને તે બાળકોનું ભવિષ્ય શું હશે? તેમણે કહ્યું, નસ્ત્રજો તમે સામાજિક માળખું તોડશો તો લોકો પર તેની શું અસર થશે?
શું ભારતને વધુ બાળકોની જરૂૂર છે કે ઓછા બાળકોની? આ વિષય પર બોલતા કેન્દ્રીય મંત્રીએ કહ્યું, પઆ પ્રશ્ન નથી. બાળકો પેદા કરવા અને તેમને યોગ્ય રીતે ઉછેરવા એ માતાપિતાની ફરજ છે. તેણે કહ્યું કે જો તમે એમ કહો કે તમારી પાસે મનોરંજન માટે બાળકો છે અને પછી જવાબદારી વિના જોતા રહો તો નહીં ચાલે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં છૂટાછેડા પર પ્રતિબંધ મૂકવો જોઈએ, તો તેણે કહ્યું, બિલકુલ નહીં. પરંતુ લિવ-ઈન સંબંધો સારા નથી.
