ધર્મેન્દ્ર પ્રધાને પણ પેપર લીક મામલે લાઠીઓ ખાધી હતી!

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, જે હાલમાં NEET પેપર લીક મુદ્દા પર તપાસનો સામનો કરી રહ્યા છે, તેમણે વિદ્યાર્થીકાળ દરમિયાન અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો…

કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, જે હાલમાં NEET પેપર લીક મુદ્દા પર તપાસનો સામનો કરી રહ્યા છે, તેમણે વિદ્યાર્થીકાળ દરમિયાન અનેક વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો હતો. 1997માં, તેમણે કથિત પરીક્ષા પેપર લીક સામે ઓડિશામાં વિદ્યાર્થી આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. તે સમયે, કોંગ્રેસના નેતા જાનકી વલ્લભ પટનાયક ઓડિશાના મુખ્યમંત્રી હતા. કથિત પરીક્ષા પેપર લીક સામે વિરોધ કરવા માટે ભુવનેશ્વરમાં રાજ્ય સચિવાલયની બહાર લગભગ 1,500 વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. ધર્મેન્દ્ર પ્રધાને વિદ્યાર્થી નેતા તરીકે તે આંદોલનમાં ભાગ લીધો હતો; તે સમયે તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP ) ના રાષ્ટ્રીય સચિવ હતા.

અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ, ધર્મેન્દ્ર પ્રધાને 18 વર્ષની ઉંમરે વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (છજજ) સાથે સંકળાયેલ વિદ્યાર્થી સંગઠન ABVP માં સક્રિય ભૂમિકા ભજવી. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાં માનવશાસ્ત્રનો અભ્યાસ કર્યો અને 1994 થી 1997 દરમિયાન બે વાર ABVP ના રાષ્ટ્રીય સચિવ તરીકે સેવા આપી. પ્રધાનના સહયોગીઓ અને તેમના જુનિયર, પ્રશાંત રાઉતને ટાંકીને, અહેવાલો સૂચવે છે કે સચિવાલયની બહાર વિરોધ શરૂૂઆતમાં શાંતિપૂર્ણ હતો. જોકે, પોલીસે બાદમાં વિરોધીઓ સામે કાર્યવાહી કરી. રાઉતનો દાવો છે કે આ ઘટના દરમિયાન ધર્મેન્દ્ર પ્રધાનને ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ થઈ હતી.રાઉતે એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે દિવસોમાં કેમ્પસ ચૂંટણી દરમિયાન રાજકીય હિંસા સામાન્ય હતી. તેમના મતે, એક હરીફ જૂથે ધર્મેન્દ્ર પ્રધાન પર હુમલો કર્યો જ્યારે વિદ્યાર્થી ચૂંટણીમાં તેમનો વિજય નિશ્ચિત થયો. રાઉતે જણાવ્યું હતું કે પ્રધાન તે ઘટના દરમિયાન તેમના જીવથી માંડ માંડ બચી ગયા. વિદ્યાર્થી રાજકારણથી રાષ્ટ્રીય રાજકારણ સુધીની સફર કર્યા હતાં.

પછી, ધર્મેન્દ્ર પ્રધાને પાછળથી ભારતીય જનતા પાર્ટી (BJP) માં સંગઠનાત્મક જવાબદારીઓ સંભાળી. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી તરીકે સેવા આપ્યા બાદ, તેમને શિક્ષણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.

ભાજપને ડોસી મરે એનો ભો નથી: શિક્ષણ મંત્રીનું રાજીનામું ન લેવાના કારણો
તાજેતરની નીટ પરીક્ષામાં નિષ્ફળતા બદલ તેમની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે તે જોતાં, કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન કદાચ આ ક્ષણે ભારતમાં સૌથી વધુ નફરત કરનારા રાજકારણી છે. કોક્રોચ જનતા પાર્ટી અને અન્ય વિપક્ષો તેમનુ રાજીનામુ માંગી રહ્યા છે. પણ કેન્દ્ર સરકાર તે કરવામાં ખૂબ જ અનિચ્છા ધરાવતી હોય તેવું લાગે છે કારણ કે અત્યાર સુધી ધર્મેન્દ્રના સંભવિત રાજીનામા વિશે કોઈ સમાચાર નથી, છતાં પણ તમામ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. પ્રધાનનુ રાજીનામુ ન લેવા પાછળ અનેક પરીબળો સામેલ હોઈ શકે છે, જેમાં ઓડિશામાં ભાજપ માટે ધર્મેન્દ્ર એક મહત્વપૂર્ણ સભ્ય છે, અને તેઓ આરએસએસના કટ્ટર સમર્થક પણ છે. ઉપરાંત, કેન્દ્ર સરકારનો મત હોઈ શકે છે કે જો તેઓ હાલની પરિસ્થિતિ સામે ઝૂકશે તો ભવિષ્યમાં તેમના પર વધુ રાજીનામા માટે દબાણ કરવામાં આવશે. અન્ય એક મંત્રી નીતિન ગડકરી પણ જાહેર ટીકાનો સામનો કરી રહ્યા છે અને તેઓ આગામી લાઇનમાં હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *