કોન્ટ્રાક્ટ કર્મચારીઓને પણ કાયમી નોકરિયાતોની જેમ તમામ ફાયદા મળશે: નવા શ્રમકાયદા અમલી

સરકાર તરફથી ગઇકાલે શ્રમ કાયદામાં મોટા ફેરફારો અને સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલયે 29 શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 કોડ…

સરકાર તરફથી ગઇકાલે શ્રમ કાયદામાં મોટા ફેરફારો અને સુધારાઓની જાહેરાત કરવામાં આવી છે. આ હેઠળ કેન્દ્રીય શ્રમ મંત્રાલયે 29 શ્રમ કાયદાઓને ઘટાડીને માત્ર 4 કોડ સુધી સીમિત કર્યા છે. શ્રમ મંત્રાલય મુજબ, આ નવા કોડથી દેશના તમામ શ્રમિકો (અનૌપચારિક સેક્ટર, ગિગ વર્કર્સ, પ્રવાસી મજૂરો અને મહિલાઓ સહિત)ને બહેતર વેતન, સામાજિક સુરક્ષા અને સ્વાસ્થ્ય-સુરક્ષાની ગેરંટી મળશે.

શ્રમ કાયદામાં લાગુ કરાયેલા સુધારાઓમાં એક મહત્વનો ફેરફાર ગ્રેચ્યુઇટી સાથે પણ જોડાયેલો છે. આ હેઠળ હવે એક વર્ષની સેવા પર પણ ગ્રેચ્યુઇટીનો લાભ મળી શકશે. શ્રમ અધિનિયમમાં લાગુ કરવામાં આવી રહેલા સુધારાઓમાં ગ્રેચ્યુઇટીનો નિયમ એટલા માટે ખાસ છે, કારણ કે અત્યાર સુધી સામાન્ય રીતે કોઈપણ સંસ્થામાં સતત 5 વર્ષની નોકરી પૂરી કર્યા પછી જ તેનો લાભ મળતો હતો, પરંતુ સરકારે હવે સ્પષ્ટ કર્યું છે કે ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ (FTE) ને પાંચ વર્ષની રાહ જોવી પડશે નહીં અને માત્ર એક વર્ષ કામ કર્યા પછી જ ગ્રેચ્યુઇટીનો ફાયદો મળી શકશે.

નવા નિયમોમાં આ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓને કાયમી કર્મચારીઓ સાથે જોડાયેલા તમામ પ્રકારના ફાયદા મળશે, જેમાં રજાથી લઈને મેડિકલ અને સોશિયલ સિક્યોરિટી સુધીનો સમાવેશ થાય છે. તેમને કાયમી સ્ટાફની બરાબર પગાર આપવાની સાથે જ સુરક્ષાને પ્રોત્સાહન મળશે. સરકારનો ઉદ્દેશ્ય કોન્ટ્રાક્ટ પર કામ ઘટાડવાની સાથે ડાયરેક્ટ હાયરિંગને પ્રોત્સાહન આપવાનો છે. અત્યાર સુધી એવી અપેક્ષા હતી કે ગ્રેચ્યુઇટી માટેની પાત્રતા મર્યાદાને સરકાર પાંચ વર્ષથી ઘટાડીને 3 વર્ષ કરવા પર વિચાર કરી રહી છે, પરંતુ સરકારે કર્મચારીઓને મોટી ભેટ આપતા તેને ઘટાડીને માત્ર 1 વર્ષ ન્યૂનતમ કરી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *