ગુજરાત
મહેફિલમાં દારૂ ખૂટી જતા થયેલી માથાકૂટમાં મિત્રનું ઢીમ ઢાળી દીધું
રૈયાધારમાં રહેતો યુવક શનિવારે લાપતા થઇ ગયા બાદ રવિવારે તેની હત્યા કરાયેલી લાશ મળી આવતા સીસીટીવીમાં કેદ શકમંદ મૃતકનો મિત્ર શંકાના દાયરામાં હોય ડીસીબીની ટીમે રાધનપુર દોડી જઈ શંખેશ્વરના શખ્સને ઝડપી લઈ પુછતાછ કરતા બંનેએ શનિવારે ચારેક વાગ્યે દારૂૂની મહેફિલ માણ્યા બાદ હત્યાનો ભોગ બનનારએ વધુ દારૂૂ પીવો છે કહી ગાળો ભાંડતા મિત્રએ બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી મોતને ઘાટ ઉતારી દીધાની કબૂલાત આપી હતી.
વધુ વિગતો અનુસાર,રૈયાધાર મચ્છુનગર ક્વાટરમાં રહેતો અને ભંગારની ફેરી કરતો વિનોજ ઉર્ફે વિનોદ દિનેશભાઈ રાકુચા(ઉ.22) શનિવારે કામે ગયા બાદ બપોરે ફોનમાં માતાને વાત થયા બાદ ફોન સ્વીચઓફ આવતો હોય પરિવારે શોધખોળ કરી હતી.પરંતુ કોઈ પતો લાગ્યો ન હતો દરમિયાન રવિવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા યુનીવર્સીટી પોલીસે મૃતકના માતાની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ડીસીબી પીઆઈ ગોંડલીયા અને ટીમે સીસીટીવી આધારે તપાસ શરુ કરતા એક શકમંદ ઘટનાસ્થળથી નાના મવા રોડ સુધી જતો નજરે પડયો હોય અને તે મૃતકનો મિત્ર હોવાનું જાણવા મળતા તેને ઝડપી લેવા દોડધામ શરુ કરી હતી.
તે રાધનપુર હોવાની બાતમી આધારે એક ટીમ ત્યાં દોડાવી હતી અને ટીમ મોડી રાત્રે રાજકોટ આવી પહોચી હતી પોલીસે પુછતાછ કરતા તે મૂળ શંખેશ્વરનો હાલ મૃતકના ઘર પાસે રહેતો અજય ગોવિંદભાઈ વાજેલીયા હોવાનું જણાવ્યું હતું હત્યા અંગે કબૂલાત આપતા કહ્યું હતું કે, શનિવારે સાંજે ચારેક વાગ્યે બંને બનાવ સ્થળે દારૂૂ પીવા બેઠા હતા બાદમાં વિનોદે વધુ દારૂૂ પીવાની જીદ કરી ઝઘડો કરી ગાળો ભાંડતા અજયએ બાજુમાં પડેલો પથ્થર માથામાં ઝીકી પતાવી દીધો હોવાની કબૂલાત આપી છે.પોતે રૈયાધાર વિસ્તારમાં ફ્રુટ વેંચતો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.વિનોદને મારી પોતે બસમાં બેસી ચોટીલા અને ત્યાંથી રાધનપુર પોતાના વતન પહોચ્યો હોવાનું જણાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.તેઓ બંને પાક્કા મિત્રો હતા અને અવાર નવાર દારૂૂની મહેફિલ કરતા હતા.પોલીસે તપાસ કરતા વિસ્તારમાંથી અજય ગાયબ હોય તેની પર પોલીસને દ્દઢ શંકા ગઈ હતી.પોલીસ સૂત્રો માંથી જાણવા મળ્યું કે મિત્રને માર્યાનો આરોપીને કોઈ અફસોસ નથી લોકઅપમાં આરામથી સુઈ ગયો હતો. મહેફીલમાં દારૂ પૂરો થઇ જતા બન્ને આમને-સામને ગાળાગાળી કરવા લાગ્યા હતા ને અજયે બાજુમાં પડેલો પથ્થર વિનોદના માથામાં ઝીંકી પતાવી દીધો હતો.