ઘરઆંગણે લઘુમતીઓ પર અત્યાચારનો રેકોર્ડ ધરાવતો દેશ માનવ અધિકારની વાતો કરે છે

ભારતે UN માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને કડક સંદેશ મોકલ્યો છે, પૂછ્યું છે કે લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો રેકોર્ડ ધરાવતો દેશ માનવ અધિકારો પર અન્ય લોકોને…

ભારતે UN માનવ અધિકાર પરિષદમાં પાકિસ્તાનને કડક સંદેશ મોકલ્યો છે, પૂછ્યું છે કે લઘુમતીઓ પર અત્યાચાર કરવાનો રેકોર્ડ ધરાવતો દેશ માનવ અધિકારો પર અન્ય લોકોને ઉપદેશ આપવાની હિંમત કેવી રીતે કરી શકે છે.

બુધવારે જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ ના 60મા સત્રની 34મી બેઠકમાં, ભારતીય રાજદ્વારી મોહમ્મદ હુસૈને ઇસ્લામાબાદના દંભની તીવ્ર ટીકા કરતા કહ્યું કે, ભારતને એ ખૂબ જ વિડંબના લાગે છે કે પાકિસ્તાન જેવો દેશ માનવાધિકારો પર અન્ય લોકોને ઉપદેશ આપવા માંગે છે. પ્રચાર ફેલાવવાને બદલે, પાકિસ્તાને પોતાની ધરતી પર લઘુમતીઓ પર થતા અત્યાચારનો સામનો કરવો જોઈએ.

ઞગઇંછઈમાં હાજર અન્ય લોકોએ પણ તેમની ટિપ્પણીમાં પાકિસ્તાનમાં માનવાધિકાર ઉલ્લંઘન તરફ ધ્યાન દોર્યું. ભૂરાજકીય સંશોધક જોશ બોવેસે બલુચિસ્તાનમાં કથિત માનવાધિકાર ઉલ્લંઘનો પર પ્રકાશ પાડ્યો અને ભારતની ટીકાને પુનરાવર્તિત કરી કે ઇસ્લામાબાદ નિયમિતપણે તેના સૌથી સંવેદનશીલ સમુદાયો પર અત્યાચાર કરે છે જ્યારે વિદેશમાં નૈતિક વલણ અપનાવે છે. તેમણે કહ્યું, 2025 માટેUNHRC ધાર્મિક સ્વતંત્રતા અહેવાલમાં જણાવાયું છે કે 700 થી વધુ વ્યક્તિઓ નિંદાના આરોપમાં જેલમાં છે, જે પાછલા વર્ષ કરતા 300 ટકા વધુ છે.

તેમણે કહ્યું કે બલૂચ નેશનલ મૂવમેન્ટની માનવાધિકાર શાખા, પાંકે ફક્ત 2025 ના પ્રથમ છ મહિનામાં 785 બળજબરીથી ગુમ થયા અને 121 હત્યાઓ નોંધી છે.નેશનલ જિર્ગાએ અહેવાલ આપ્યો છે કે આ વર્ષે આશરે 4,000 પશ્તુન ગુમ થયા છે. આ દરમિયાન, યુનાઇટેડ કાશ્મીર પીપલ્સ નેશનલ પાર્ટી ના પ્રવક્તા નાસિર અઝીઝ ખાને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાનના વધતા દમન સામે હસ્તક્ષેપ કરવા વિનંતી કરી. જીનીવામાં બોલતા, ખાને આ ક્ષેત્રમાં વધુ ખરાબ થતી માનવતાવાદી કટોકટીની ચેતવણી આપી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *