રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસનું નિધન, લખનઉ PGIમાં અંતિમ શ્વાસ લીધા

  અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની SGPGI હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા…

 

અયોધ્યા રામ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજીનું આજે લખનૌની SGPGI હોસ્પિટલમાં નિધન થયું છે. સવારે 8 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા તેમની તબિયત અચાનક બગડી હતી, ત્યારબાદ તેમને લખનઉના SGPGIમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, તેમને સ્ટ્રોકનો હુમલો આવ્યો હતો, જે પછી તેમની સ્થિતિ નાજુક રહી હતી.

4 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ આચાર્ય સત્યેન્દ્ર દાસની ખબર પૂછવા માટે SGPGI પહોંચ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ મંદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસને 2 ફેબ્રુઆરીના રોજ સ્ટ્રોકના કારણે અયોધ્યાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ડૉક્ટરોએ SGPGIમાં રિફર કર્યા હતા. SGPGI હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર આચાર્ય સત્યેન્દ્ર દાસ પણ ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર બીમારીઓથી પીડિત હતા.

આચાર્ય સત્યેન્દ્ર દાસ રામજન્મભૂમિના મુખ્ય પૂજારી હતા. તેઓ બાળપણથી જ અયોધ્યામાં રહેતા હતા. દાસ લગભગ 33 વર્ષથી રામલલા મંદિર સાથે જોડાયેલા હતા. તેઓ 1992માં બાબરી ધ્વંસ પહેલા પણ આ મંદિરમાં પૂજા કરતા હતા. તેઓ રામ મંદિરના મુખ્ય પૂજારી હતા.

રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ 1992માં બાબરી ધ્વંસ પહેલા લગભગ નવ મહિના સુધી રામલલાની પૂજા કરતા હતા. આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ 1975માં સંસ્કૃત વિદ્યાલયમાંથી આચાર્યની ડિગ્રી મેળવી હતી. આ પછી, 1976 માં, તેમને અયોધ્યાની સંસ્કૃત કોલેજમાં વ્યાકરણ વિભાગમાં સહાયક શિક્ષકની નોકરી મળી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *