કર્ણાટક સરકાર તોડવા ધારાસભ્યોને 50-50 કરોડની ઓફર

ભાજપ સફળ ન થતા હવે ખોટા કેસ કરવાનું શરૂ કર્યાનું સીએમ સિદ્ધારમૈયાનો આક્ષેપ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમની સરકારને તોડવા…

ભાજપ સફળ ન થતા હવે ખોટા કેસ કરવાનું શરૂ કર્યાનું સીએમ સિદ્ધારમૈયાનો આક્ષેપ

કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ બુધવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપે તેમની સરકારને તોડવા માટે કોંગ્રેસના 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂૂપિયાની ઓફર કરી હતી. પરંતુ, કોંગ્રેસના કોઈ ધારાસભ્ય આ માટે તૈયાર નહોતા, જેના કારણે ભાજપ હવે તેમના પર ખોટા કેસ દાખલ કરવાનો આશરો લઈ રહી છે.
470 કરોડના બાંધકામના કામોનું ઉદ્ઘાટન કર્યા બાદ સિદ્ધારમૈયાએ કહ્યું કે મારી સરકારને કોઈક રીતે ઉથલાવવા માટે, તેઓએ (ભાજપ) 50 ધારાસભ્યોને 50-50 કરોડ રૂૂપિયાની ઓફર કરી. તેની પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? શું પૂર્વ મુખ્યમંત્રીઓ બીએસ યેદિયુરપ્પા, બસવરાજ બોમાઈ, વિપક્ષી નેતા આર અશોક, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રએ પૈસા છાપ્યા હતા?


સિદ્ધારમૈયાએ કહ્યું કે આ બધું લાંચના પૈસા છે. તેણે કરોડો રૂૂપિયાની કમાણી કરી છે. આ પૈસાનો ઉપયોગ કરીને તેમણે દરેક ધારાસભ્યને 50 કરોડ રૂૂપિયા આપવાની ઓફર કરી હતી. પરંતુ, આ વખતે અમારા કોઈપણ ધારાસભ્ય તેની સાથે સંમત થયા નથી. તેથી, તેઓએ કોઈક રીતે સરકારને હટાવવાની ઝુંબેશ શરૂૂ કરી છે. એટલા માટે તેઓ આવું (ખોટા કેસ દાખલ) કરી રહ્યા છે.કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરુદ્ધ બોલવા બદલ એક સામાજિક કાર્યકર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ કોંગ્રેસના એક નેતા દ્વારા કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સામાજિક કાર્યકર સ્નેહમોયી કૃષ્ણાએ મુખ્યમંત્રી વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવી છે.


કર્ણાટકના મુડા કૌભાંડમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. આ મામલામાં ફરિયાદી અને આરટીઆઈ કાર્યકર્તા સ્નેહમોયી કૃષ્ણાએ સીએમ સિદ્ધારમૈયા પર નવા આરોપો લગાવ્યા છે.તેમણે લખ્યું કે આ મુદ્દે મુખ્યમંત્રીએ લોકોને જવાબ આપવો જોઈએ. તેમણે લખ્યું કે સીએમ સિદ્ધારમૈયાની પત્ની પાર્વતીને જે ખરીદી દસ્તાવેજો આપવામાં આવ્યા હતા તેમાં મુડાના સ્પેશિયલ તહસીલદારે સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. સિદ્ધારમૈયાએ પ્લોટ ફાળવણીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો, શું આના માટે વધુ પુરાવાની જરૂૂર છે?તે જ સમયે, કૌભાંડમાં સીએમ પરના તાજેતરના આરોપો પર કોંગ્રેસે આરટીઆઈ કાર્યકર્તા પર વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસ પાર્ટીએ આરોપ લગાવ્યો કે મુડા કૌભાંડમાં તપાસ ચાલી રહી છે અને તપાસની વચ્ચે આરટીઆઈ કાર્યકર્તાઓ સીએમ સિદ્ધારમૈયાને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસે આરટીઆઈ કાર્યકર્તા સ્નેહમોયી કૃષ્ણા સામે જ કાર્યવાહી કરવાની માંગ કરી હતી.


આરટીઆઇ કાર્યકર્તાએ દાવો કર્યો છે કે મુખ્યમંત્રીએ પ્લોટની ફાળવણી માટે પોતાના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને આ પ્લોટની ખરીદી પર લાગુ થતી સ્ટેમ્પ ડ્યુટી પણ ચૂકવી ન હતી. સ્નેહમોયી કૃષ્ણાએ ઇન્ટરનેટ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે મુડા કૌભાંડમાં સીએમ સિદ્ધારમૈયાની સંડોવણીના વધુ પુરાવાની જરૂૂર છે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *