ગુજરાત

કામધંધો કરવાનું કહેતાં નાનાભાઇએ મોટાભાઇને છરીથી રહેંસી નાખ્યો

Published

on

ખાંભાના નીગાળા ગામનો બનાવ: હત્યારો ભાઇ સકંજામાં

ખાંભાના નીંગાળા ગામ મોટા ભાઈએ નાના ભાઈને કામધંધો કરવાનુ કેહતા જ નાના ભાઈએ છરી વડે મોટાભાઈને રહેંસી નાખ્યો હતો.


ખાંભા તાલુકાના નિંગાળા ગામમાં મોડી રાતે હત્યાનો બનાવ બન્યો હતો. 25 વર્ષના હર્ષદભાઈ અનુભાઈ બારૈયા નામના યુવકની હત્યા થઈ છે. તેમના સગા નાના ભાઈએ છરી મારી દેતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં રાજુલાની ખાનગી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં આવ્યાં હતા. જોકે, હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત થતા મામલો હત્યામાં પલટાયો હતો. મૃતકને પીએમ માટે રાજુલા હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં સાવરકુંડલા એએસપી વલય વૈધ, ખાંભા રાજુલા પોલીસની ટીમો દોડી તપાસનો ધમધમાટ શરૂૂ કર્યો હતો. ખાંભા પોલીસ સ્ટેશનમાં મૃતક હર્ષદબાઈના પિતા અનુભાઈ રણછોડભાઈ બારૈયાએ હત્યાનો ગુનો નોંધાવ્યો હતો.

પિતાએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યાંનુસાર નાના પુત્ર જયસુખ અને હર્ષદ બંને વચ્ચે સામાન્ય બાબતે ઝગડો થયો હતો. મોટો દિકરા હર્ષદે મારા નાના પુત્રને કહ્યું કે, તુ શું કામ ખોટા આટા મારે છે, કાઈ કામ ધંધો કરતો નથી. તેમ કહેતા જ જયસુખ એકદમ ઉશ્કેરાઈને હર્ષદને જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો અને બન્ને વચ્ચે માથાકૂટ થવા લાગી હતી. બન્ને વચ્ચે ઝપાઝપી થતા જ જયસુખે હર્ષદને નીચે પાડી દીધો હતો. તેમજ તેની પાસે રહેલી છરી હર્ષદના ડાબા પડખામાં મારી દીધી હતી. આ ઉપરાંજ છરીનો બીજો ઘા મારવા જતાં હુ વચ્ચે પડી છરી પકડવા જતા મારા બન્ને હાથમાં પણ છરી લાગી હતી. ભાવેશે હર્ષદને ખાનગી વાહનમાં રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યાં હતા. જોકે, ફરજ પરના ડોક્ટરે મારા દિકરા હર્ષદને મરણ ગયેલ હોવાનું જાહેર કર્યું હતું.મોટાભાઈની હત્યા કરનાર આરોપી જયસુખ બારૈયાને પોલીસે પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક રાઉન્ડપ કર્યો છે. તપાસનો ધમધમાટ શરૂૂ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version