ગુજરાત

બેન્કના હપ્તા નહીં ચૂકવી શકતા યુવાનનો દવા પી આપઘાત

Published

on

જામનગરમા રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી હતી. બેન્ક નાં હપ્તા ની રકમ નહી ચૂકવી શકતાં આ પગલું ભર્યું હતું, તેમ પોલીસમાં જાહેર થયું છે.


જામનગરમા રોઝી પેટ્રોલ પંપ સામેનાં શાંતિ હાર્મની મા રહેતાં રાજેશભાઈ મોતીરામ ખન્ના (46) એ ગત મોડી રાત્રે ઝેરી દવા પી લેતાં સારવાર માટે હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા.જયાં તેમનું ટુંકી સારવાર મા મૃત્યુ થયુ હતું.


તેઓ બેન્કના હપ્તાની રકમ સમયસર ભરપાઈ નહી કરી શકતાં બેન્ક માંથી ઉઘરાણી માટે ની નોટિસ મળી હતી, પરંતુ પૈસા ની સગવડ નહી હોવા થી તેઓ એ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version