ગુજરાત

કુબલિયાપરામાં માનસિક બિમારીથી કંટાળી યુવાનનો ફાંસો ખાઇ આપઘાત

Published

on

વાવડીમાં શ્રમિક યુવાને ઓરડીના એંગલમાં ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

શહેરના કુલબીયાપરા વિસ્તારમાં રહેતા યુવાને માનસિક બિમારીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જ્યારે વાવડીમાં શ્રમિક યુવાને અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું.


જાણવા મળતી વિગત મુજબ, કુબલીયાપરા શેરી નં.5 માં રહેતા વિનોદ નાનુભાઇ કોનપરીયા (ઉ.વ.40) નામના યુવાને આજે વહેલી સવારે પોતાના ઘરે લાકડાની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી મૃતદેને પીએમમાં ખસેડી તપાસ હાથ ધી હતી.


પ્રાથમિક તપાસમાં મૃતક વિનોદભાઇ ચારભાઇ ત્રણ બહેનમાં મોટો અને ભંગારની ફેરી કરતા હતા. તેમને સંતાનમાં ચાર પુત્ર અને એખ પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળી આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
જ્યારે બીજા બનાવમાં મુળ નેપાળના વતની અને હાલ વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં કારખાનામાં રહેતા દિવેશગીરી ઉમેશગીરી નેપાળી (ઉ.વ.24)એ પોતાની ઓરડીમાં એંગલ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version