ગુજરાત
ગુજરાત વિધાનસભા સત્રને લઈને CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત જન ફરીયાદ કાર્યક્રમ મુલતવી,આ દિવસે યોજાશે
ગુજરાત વિધાનસભા સત્રને અનુલક્ષીને તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાનારો મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનાર સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમ તા. ૨૨ ઓગસ્ટ ગુરૂવારે યોજાવાનો હતો. પરંતુ હવે ઓનલાઈન જન ફરિયાદ કાર્યક્રમ તા. ૨૯ ઓગસ્ટના ગુરૂવારે યોજાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરૂવારે યોજાતો રજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરીયાદ કાર્યક્રમ આગામી ગુરૂવાર ૨૨ ઓગસ્ટે યોજાશે નહિ. ગુજરાત વિધાનસભાના ત્રિ-દિવસીય સત્રને અનુલક્ષીને ૨૨મી ઓગસ્ટે યોજાનારો આ રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ઓગસ્ટ મહિનાના પાંચમા ગુરુવાર એટલે કે ૨૯ ઓગસ્ટ ૨૦૨૪ના યોજવામાં આવશે. સૌ સંબંધિતોને રાજ્ય સ્વાગતના આયોજનના આ ફેરફારની નોંધ લેવા મુખ્યમંત્રીના જન સંપર્ક એકમ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.