ગુજરાત

પ્રેમસબંધની જાણ થતા પતિએ તરછોડી; પ્રેમીએ સાથે રાખવાનો ઇનકાર કરતાં મહિલાનો આપઘાતનો પ્રયાસ

Published

on

શહેરમાં એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી પરણિતાને ફેસબુક મારફતે મોરબીના યુવક સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમ પંગર્યો હતો. પ્રેમ સંબધની જાણ થતા પતિએ તરછોડી દેવાનું કહ્યું હતું જ્યારે પ્રેમીએ સાથે રાખવાનો ઇન્કાર કરતા મહિલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ એસટી વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી શારદાબેન છગનભાઇ મૂછડીયા નામની 42 વર્ષની પરિણીતા પોતાના ઘરે હતી ત્યારે બપોરના સાડા અગીયારેક વાગ્યના અરસામાં ફિનાઇલ પી લીધું હતું. પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.


પ્રાથમિક પૂછપરછમાં શારદાબેન મૂછડીયા હેન્ડી ક્રેફટ છે અને તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. શારદાબેન મૂછડીયાને છેલ્લા ત્રણ વર્ષથી મોરબી રહેતા મનીષ સોંલકી સાથે સોશ્યલ મીડિયામાં પ્રેમ થઇ ગયો હતો. બાદમાં પતિને પ્રેમસંબધની જાણ થતા તેણે સાથે રાખવાનો ઇન્કાર કર્યો હતો. જ્યારે સામે પ્રેમીએ પણ સાથે રાખવાની ના પાડી દેતા શારદાબેન મૂછડીયાએ ફિનાઇલ પી લીધુ હોવાનું અને પ્રેમી મનિષ સોંલકીએ પૈસા પડાવી લીધા હોવાનો આક્ષેપ ર્ક્યો છે. આ બનાવ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version