મનોરંજન

ખેડૂતોને ખૂની-બળાત્કારી કહેનાર કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહનો કેસ

Published

on

આગ્રાના એડવોકેટે સ્પેશિયલ કોર્ટમાં ફરિયાદ નોંધાવી

ફિલ્મ અભિનેત્રી અને મંડીથીસાંસદ કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. જેમાં કેટલાક નિવેદનો મોટો વિવાદ ઉભો કરે છે. ત્યારે હાલમાં ખેડૂતોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. હવે આ મામલામાં આગ્રાના એક વકીલે તેમની વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. જેના પગલે હવે અભિનેત્રીની મુશ્કેલી વધી શકે છે.


મળતી માહિતી મુજબ એડવોકેટે કંગના રનૌતના નિવેદનના આધારે આગ્રા કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. આગ્રા કોર્ટમાં કંગના રનૌત વિરુદ્ધ દેશદ્રોહ અને રાષ્ટ્રના અપમાનનો કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં વાદી વકીલના નિવેદન 17 સપ્ટેમ્બરે નોંધવામાં આવશે. કંગના રનૌત સામે દાવો દાખલ કરનાર એડવોકેટ રમાશંકર શર્માએ કહ્યું કે ફિલ્મ અભિનેત્રી અને સાંસદ કંગના રનૌતે ખજઙ અને અન્ય માંગણીઓને લઈને 20 અને 2021માં દિલ્હી બોર્ડર પર હડતાળ પર બેઠેલા લાખો ખેડૂતો પ્રત્યે ખૂબ જ અભદ્ર ટિપ્પણી કરી છે એક ખૂની અને બળાત્કારી અને 16 નવેમ્બર 2021ના રોજ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અહિંસક સિદ્ધાંતની મજાક ઉડાવવા બદલ કંગના રનૌત વિરુદ્ધ સ્પેશિયલ કોર્ટ ખઙ ખકઅમાં દેશદ્રોહ અને રાષ્ટ્રનું અપમાન કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.


આ મામલે વકીલના કહેવા મુજબ હિમાચલ પ્રદેશની મંડીમાંથી બીજેપી સાંસદ કંગના રનૌતે ખેડૂતો પ્રત્યે અત્યંત અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરી હતી. કંગના રનૌતે 2021માં ધરણા પર બેઠેલા દેશના લાખો ખેડૂતો પર ધરણા દરમિયાન હત્યા અને બળાત્કારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. કંગના રનૌતે આગ્રા કોર્ટમાં આવીને દેશની માફી માંગવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version