ગુજરાત
પરાપીપળિયામાં બે એકર સરકારી જમીન ઉપરથી દબાણો હટાવતું તંત્ર
ખેતી વિષયક દબાણ હટાવી અંદાજે 10 કરોડની જમીન સરકાર હસ્તક લીધી
સરકારી જમીનો પર કરવામાં આવેલા દબાણો હટાવવા માટે સરકારના આદેશ બાદ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત આજે જામનગર રોડ પર આવેલા પરાપીપળીયા ગામમાં સરકારી ખરાબાની બે એકર જમીનમાં કરવામાં આવેલા દબાણને મામલતદાર દ્વારા હટાવવાની કામગીરી કરવામાં આવી હતી અને અંદાજે 10 કરોડની જમીન ખુલી કરવામાં આવી હતી.
મળતી વિગત મુજબ પરાપીપળીયા ગામના સરકારી ખરાબાના રેવન્યુ સર્વે નંબર 197 પૈકીમાં કરેલ ખેતવિષયક દબાણ જમીન આશરે 2 એકર જેની બજાર કિંમત આશરે 10 કરોડ થવા પામે છે તે જમીન શાંતિપૂર્ણ રીતે દબાણ દૂર કરી ખુલ્લી કરાવેલ છે.
રાજકોટ ગ્રામ્યના મામલતદાર દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં જમીન માફીયાઓ દ્વારા બે એકર સરકારી જમીન પર કબજો કરી અને તેના પર ખેતી કરવામાં આવી હતી. આ દબાણ સરકારી ખરાબા પર થયું હોય આજરોજ મામલતદાર દ્વારા જીસીબી ફેરવી અને 10 કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.