rajkot

માતાએ જમવા મુદ્દે ઠપકો આપતા પુત્રનો ગળેફાંસો ખાઈ આપઘાત

Published

on

શહેરની ભાગોળે આવેલા ચાચડીયા ગામે રહેતા યુવાને જમવા મુદ્દે માતા સાથે ઝઘડો કરતા માતાએ ઠપકો આપતા યુવાકે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવાર ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ તાલુકાના કુવાડવા પાસે આવેલા ચાચડિયા ગામે રહેતા ચેતન મુન્નાભાઈ ખસીયા નામનો 25 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામાં ચાદર બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો આ ઘટના અંગે જાણ થતા કુવાડવા રોડ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચેતન ખસીયા ત્રણ ભાઈ બે બહેનમાં મોટો છે અને માતા સાથે જમવા મુદ્દે ઝઘડો કરતા માતાએ ઠપકો આપતા ચેતન ખસીયાએ આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે કુવાડવા રોડ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version