આંતરરાષ્ટ્રીય
અફઘાનિસ્તાનમાં પૂરપ્રકોપથી 35થી વધુનાં મોત, 230 ઘાયલ
પૂર્વી અફઘાનિસ્તાનના જલાલાબાદ અને નાંગરહાર વિસ્તારમાં પૂર અને ભારે વરસાદના કારણે અંદાજે 35 લોકોના મોત થયા છે, જ્યારે 230થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. માહિતી અને સાંસ્કૃતિક વિભાગના પ્રમુખ કુરેશી બડલૂને આ માહિતી આપી હતી.
બડલુને વધુમાં જણાવ્યું હતું કે, ભારે તોફાન અને વરસાદને કારણે લોકોના ઘર, ઝાડ, દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી, જેના પરિણામે લોકોના મોત થયા હતા.
મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. ઘાયલો અને પીડિતોના મૃતદેહને નાંગરહાર પ્રાદેશિક હોસ્પિટલ અને ફાતિમા-તુલ-ઝહરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.
આ દુર્ઘટના મે મહિનામાં અફઘાનિસ્તાનમાં અચાનક આવેલા પૂરને અનુસરે છે જેમાં સેંકડો લોકો માર્યા ગયા હતા અને દેશમાં ખેતીની જમીન ડૂબી ગઈ હતી, જ્યાં 80 ટકા વસ્તી અસ્તિત્વ માટે ખેતી પર નિર્ભર છે.