ગુજરાત
કીર્તિ પટેલની તમામ સોશિયલ મીડિયાની આઇડી બંધ કરવા માંગ
ફિલ્મ એકટર સહિતનાં આગેવાનોની કમિશનરને રજૂઆત
વિવાદાસ્પદ યુ ટયુબલર કિર્તી પટેલની તમામ સોશિયલ મીડીયાની આઇડી બંધ કરવા શહેરના કોળી સમાજના આગેવાનોએ માંગ કરી છે.
આ અંગે જયેશ હંસરાજ ઠાકોર સહીતના આગેવાનોએ જણાવ્યું છે કે કિર્તી પટેલ કોઇપણ પુરાવા વગર સમાજમાં બદનામ કરવા અને હેરાન પરેશાન અને માનસીક ટોર્ચર કરી અને વિડીયો બનાવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત શ્રી ઋષિભારતી બાપુને કોળી સમાજના સંત ખરેખર સાધુ-સંતોને કોઇ સમાજના નથી. હોતા સર્વે સમાજના હોય છે. પહેલા ઋષિભારતી બાપુને બદનામ કરી કોળી સાથે ઉલ્લેખ કર્યો જેનાથી કોળી સમાજની લાગણી દુભાય છે. તેવું કૃત્ય કર્યું છે. ઇરાદ પુર્વક જયશે ઠાકોર પર ખોટા આક્ષેપ કર્યા છે અને આ કામના આરોપી હાલ કાપોદ્રા પોલીસ સ્ટેશન વરાછા સુરતમાં એફઆરઆઇ 112100222માં તારીખ 2-6-2024 કલમ 368, 389, 504, 328, 507 (2), 102 બી, 69, 66ઇ જેવા ગંભીર ગુનામાં વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. ગમે તેને ગમે ત્યારે પોતાના સ્વાર્થ ખાતર બદનામ કરનાર કિર્તી પટેલની ફેસબુક, ઇન્સ્ટ્રાગ્રામ પરની તમામ આઇડી બનાવવા માંગ કરાઇ છે.