Uncategorized
છ વર્ષ બાદ કૈલાશ ખેરનું છઠ્ઠું આલ્બમ રિલીઝ થશે
કૈલાશ ખેરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો ત્યારે ઘણાં લોકોએ તેમની ટીકા કરી હતી. કોઈ મોટા હીરો માટે તેમનો અવાજ યોગ્ય નહીં હોવાની અને મ્યૂઝિકમાં દમ ન હોવાની કોમેન્ટ્સ થઈ હતી. 2003ના વર્ષમાં અલ્લાહ કે બંદે અને 2006માં કૈલાસા આલબમે તેમને ખૂબ સફળ ગાયક બનાવી દીધા. કૈલાશ ખેરે જણાવ્યુ હતું કે, અન્ય લોકો ભીગે હોઠ તેરે જેવા ગીતો બનાવતા હતા ત્યારે રોમાન્સની નવી પરિભાષા આપવાનું વિચાર્યું હતું.
લાગણીને અલગ રીતે અભિવ્યક્ત કરી અને ઓડિયન્સને તે પસંદ આવી. ઓડિયન્સ સાથે તાર જોડાઈ ગયા અને ગીતોમાં આધ્યાત્મિક લાગણી હોવાથી લોકોના હૈયામાં તેને સ્થાન મળ્યું. આ રીતે ગીતોની નવી જોનર આવી, જે કૈલાસા તરીકે ઓળખાય છે.
કૈલાશ ખેર પોતાના નવા આલબમ સાથે આવી રહ્યા છે. જેમાં તેરી દિવાની અને સૈયામ જેવા ગીતોના ચાર્મને ફરી રજૂ કરવાની તેમની ઈચ્છા છે. કૈલાશ ખેરે જણાવ્યું હતું કે, ઓહ દિલ જાની તેમનું છઠ્ઠું આલબમ છે અને છ વર્ષ બાદ આવી રહ્યું છે. 2019ના વર્ષમાં આલબમ રિલીઝ કરવાની ઈચ્છા હતી, પરંતુ સતત ટુરિંગના કારણે આલબમ આવી શક્યું નહીં. તે પછી કોરોના નડી ગયો. દિલ જાનીનું ટાઈટલ ટ્રેક 21 ડિસેમ્બરે રિલીઝ થશે અને બાકીના ગીતો 15-30 દિવસના ગેપમાં આવશે.