રાષ્ટ્રીય

ત્રિપુરામાં ભારે વરસાદે મચાવી તબાહી, અત્યાર સુધીમાં 22 લોકોના મોત, 17 લાખ લોકો પ્રભાવિત

Published

on

ત્રિપુરામાં છેલ્લા કેટલાક દિવસોમાં ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે અને અન્ય બે લોકો ગુમ થયા છે. અધિકારીએ જણાવ્યું કે રાજ્યમાં 450 રાહત શિબિરોમાં 65,400 લોકોએ આશ્રય લીધો છે કારણ કે ભારે વરસાદને કારણે તેમના ઘરોને નુકસાન થયું છે.


મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું છે કે સંતીરબજારના અશ્વની ત્રિપુરા પરા અને દેબીપુરમાં ભૂસ્ખલન બાદ દસ લોકો કાટમાળ નીચે દટાયા છે. તેમણે કહ્યું કે હું મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. રાજ્ય સરકારે દરેક મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.


અધિકારીએ જણાવ્યું કે પૂર્વોત્તર રાજ્યમાં લગભગ 17 લાખ લોકો પ્રભાવિત થયા છે. 2,032 સ્થળોએ ભૂસ્ખલન નોંધાયું હતું, જેમાંથી 1,789 સ્થળોને સાફ કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય સ્થળોએ પુનઃસ્થાપન કાર્ય ચાલુ છે. આસામ રાઈફલ્સે જણાવ્યું કે રાજ્યભરમાંથી 750 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આસામ રાઈફલ્સની રાઈફલ મહિલાઓ ત્રિપુરામાં રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહી છે. પૂર્વ કંચનબારી, કુમારઘાટ, ઉનાકોટી જિલ્લા, ગોમતી જિલ્લાના અમરપુર, બિશાલગઢ, સિપાહીજાલા અને ત્રિપુરા પશ્ચિમ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં ચાર બચાવ ટીમો મોકલવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version