Uncategorized

કોરોનાની રસીના ચોથા ડોઝની ચર્ચા

Published

on

દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. રવિવારે દેશમાં નવા 656 કેસ અને 1 મૃત્યુ નોંધાયા છે. સિરમ ઇન્સ્ટિટયુટે નવા વેરિયેન્ટ જેએમ 1 સામે રસી બનાવવાની તૈયારી કરી હોવાના અહેવાલો વચ્ચે રસીના ચોથા ડોઝની જરૂરીયાત વિષે ચર્ચા શરૂ થઇ છે. જો કે નિષ્ણાંતોના મતે હાલ આવી કોઇ જરૂર નથી. ઇન્ડીયા સાર્સન કોવ-2 જીનોમિકસ કોન્સોર્ટિયમના વડા એન.કે. અરોડાએ જણાવ્યું હતું કે વધારાના ચોથા ડોઝની જરૂર નથી. તેમને જણાવ્યું હતું કે સહબીમારીઓ હોય તેવા સાઠ વર્ષથી વધુ વયના લોકોએ ન લીધો હોય તો સાવચેતીનો ત્રીજો ડોઝ લેવો જોઇએ.
દરમિયાન મહારાષ્ટ્રમાં રવિવારે 50 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, તાજા કેસોમાંથી, નવ JN.1 ના કારણે થયા હતા, જેનાથી રાજ્યમાં નવા પેટા વેરિઅન્ટ સાથે જોડાયેલા ચેપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, JN.1 દર્દીઓમાં થાણે શહેરના પાંચ, પુણે શહેરના બે અને પુણે જિલ્લા, અકોલા શહેર અને સિંધુદુર્ગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના એક-એક દર્દીનો સમાવેશ થાય છે. રાજસ્થાનમાં છેલ્લા 24 કલાકમાં 11 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસો વચ્ચે, ઉજ્જૈનના દેવાસ રોડ પરના કેથોલિક ચર્ચમાં ભગવાન જીસસને નવા પ્રકારથી બચાવવા માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી હતી. નાતાલના અવસર પર ચર્ચમાં પિતા અને ભક્તોએ ભારતમાં ગરીબો, નિરાધારો અને વિવિધ ધર્મના લોકોને કોરોનાથી બચાવવા ભગવાન ઇસુની વિશેષ પ્રાર્થના કરી હતી.
બીજી તરફ, વિશ્વ આરોગ્ય સંગઠન (હુ)એ દક્ષિણપુર્વ એશિયાના દેશોને સર્વેલન્સ વધારવા અને લોકોને સાવચેતીના પગલા લેવા જણાવ્યું છે. હુના નિવેદન મુજબ કોવીડ-19 વાયરસ નવાનવા સ્વરૂપો લઇ રહ્યો છે અને વિશ્વમાં પરિવર્તન પામી ફેલાઇ રહ્યો છે. જેએન-1નું જોખમ ઓછું હોવાના પુરાવા છે પણ આમણે એનો જવાબ આપવા તેની ઉત્ક્રાંતિનું પગેરૂ દબાવવું પડશે.

દેશમાં જેએન-1ના 63 કેસ

જેએન-1 કેસ ત્રણ ગણા વધી 63 થયા છે. અહેવાલો મુજબ આ સ્વરૂપના ગોવામાં 34, મહારાષટ્રમાં 9 કર્ણાટકમાં 8, કેરળમાં 6, તામિલનાડુમાં 4 અને તેલંગાણામાં 2 કેસ નોંધાયા છે. કોવિડ-19ના નવા પેટા વેરિઅન્ટ જેએન-1 ના પાંચ કેસ મહારાષ્ટ્રના થાણેમાં નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 128 કેસ મળી આવ્યા છે, રાજ્યમાં સક્રિય કેસ 3000 પર પહોંચી ગયા છે. તે જ સમયે, મહારાષ્ટ્રમાં કોરોનાના 50 કેસ નોંધાયા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે મહારાષ્ટ્રમાં દર 5 નવા કેસમાંથી લગભગ એક કેસ નવા પ્રકાર JN.1નો છે. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠી રહ્યો છે કે શું મહારાષ્ટ્ર કોવિડના નવા પ્રકારનું સુપર સ્પ્રેડર બની રહ્યું છે? જેએન-1 વેરિઅન્ટના વધતા જતા કેસોને જોતા મહારાષ્ટ્ર સરકાર એલર્ટ પર આવી ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version