rajkot

પંદર ગુનામાં સામેલ ભગવતીપરાના બંન્ને રીઢા ગુનેગારને પાસામાં ધકેલાયા

Published

on

અગાઉ પંદર જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા ભગવતીપરાના બે શખ્સોને પોલીસ કમિશનરે પાસામાં ધકેલી દીધા છે.ભગવતીપરા મેઇન રોડ જયપ્રકાશનગર સુખસાગર હોલની સામે રહેતાં સાવન મીઠાભાઇ પરમાર (ઉ.વ.30) અને જયપ્રકાશનગર-14/8ના ખુણે ચામુંડા કરિયાણાવાળી શેરીમાં રહેતાં સલિમ ઉર્ફે સલ્લુબાપુ હનીફશા શાહમદાર (ઉ.વ.34)ને પાસા તળે અનુક્રમે વડોદરા અને સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાવન વિરૂૂધ્ધ પ્ર.નગર, બી-ડિવીઝન, એ-ડિવીઝનમાં મારામારી, લૂંટ, દારૂ, જાહેરનામા ભંગ, આર્મ્સ એક્ટ, ચોરી સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. જ્યારે સલિમ ઉર્ફ સલ્લુબાપુ વિરૂધ્ધ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં મારામારી, લૂંટ, હત્યા, હત્યાની કોશિષ, દારૂ સહિતના 15 ગુના નોંધાઇ ચુક્યા છે. આ બંનેને પાસામાં ધકેલવાની દરખાસ્ત જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી આર. એસ. બારીયાની સુચના અનુસાર બી-ડિવીઝન પોલીસે તૈયાર કરતાં પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ મંજુર કરી હતી. પાસા વોરન્ટની બજવણી ઇન્ચાર્જ પીઆઇ કે. જે. કરપડા, હીરાભાઇ રબારી, ડી. સ્ટાફ ટીમ અને પીસીબીની ટીમે કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version