રાષ્ટ્રીય

બાંગ્લાદેશ ઇફેક્ટ, દિલ્હીમાં રોહિંગ્યા મુસ્લિમોને દોડાવી દોડાવીને માર્યા

Published

on

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા હુમલાનો બદલો લેવા માટે દિલ્હીમાં કેટલાક રોહિંગ્યા મુસ્લિમોને માર મારવામાં આવ્યો છે. કોંગ્રેસ નેતા ક્ધહૈયા કુમારને થપ્પડ મારીને ચર્ચામાં આવેલા કથિત ગાય રક્ષક દક્ષ ચૌધરીએ આ હુમલો કર્યો છે. દક્ષે ઈન્સ્ટાગ્રામ પર આ વાતની કબૂલાત કરતા કહ્યું કે તેણે જે કર્યું તેનો તેને કોઈ પસ્તાવો નથી. હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રાત્રે 5-6 લોકો હાથમાં લાકડીઓ લઈને કચરાના ઢગલા વચ્ચે રહેતા લોકો પર હુમલો કરે છે. તેમને લાકડીઓથી મારવામાં આવી રહ્યો છે. તેઓ તેમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે અને તેમને જગ્યા ખાલી કરીને બાંગ્લાદેશ ભાગી જવા માટે કહી રહ્યા છે.


હુમલો કરતી વખતે દક્ષ કહે છે બાંગ્લાદેશમાં હિંદુ દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યો છે અને અહીં સાપોલો ફૂલીફાલી રહ્યા છે. સરકાર મૌન બેઠી છે, સંસ્થાઓ મૌન બેઠી છે.


રોહિંગ્યા મુસ્લિમોને માર માર્યા બાદ દક્ષે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું કે, પતેણે જે કર્યું તેના માટે કોઈ અફસોસ નથી, કારણ કે બાંગ્લાદેશમાં જે બહેનો પર બળાત્કાર થયો હતો, જે હિંદુઓની હત્યા કરવામાં આવી હતી, જે મંદિરો તોડવામાં આવ્યા હતા, તે બધું જ હતું મારી પોતાની, તે દરેક ભારતીયની હતી. શા માટે તેની હત્યા કરવામાં આવી, તેના પર બળાત્કાર કેમ કરવામાં આવ્યો કારણ કે તે હિન્દુ હતો. વિપક્ષ ચૂપ છે, બોલિવૂડ ચૂપ છે, આ એ જ બોલિવૂડ છે જ્યારે તે હમાસને સમર્થન આપે છે પણ હિંદુઓ પર અત્યાચાર થાય છે ત્યારે ચૂપ રહે છે. અમે શરૂૂઆત કરી છે, હવે શું કરવાનું બાકી છે તે ભારતના યુવાનો અને સંગઠનો જાણે છે. હવે આ દેશમાં રોહિંગ્યા મુસ્લિમો બિલકુલ નથી. સરકાર અસમર્થ છે, અમે નહીં. એફઆઈઆર દાખલ થઈ છે, ધરપકડ થશે, જેલમાં પણ જશે, પણ હવે કોઈ ડર નથી. છેલ્લો સંદેશ છે ખબર નથી હવે શું થશે. જય શ્રી રામ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version