ગુજરાત

આંબેડકરનગરમાં વેચી મારેલા મકાનના ભાગના રૂપિયા લેવા ગયેલા દીકરી-જમાઈ ઉપર હુમલો

Published

on

કીટીપરામાં યુવક અને રૈયાધારમાં આધેડને માર પડયો


શહેરમાં ગંજીવાડા વિસ્તારમાં રહેતા યુવાને સસરા સાથે ભાગમાં લીધેલું મકાન વેચાઈ ગયા બાદ યુવાન પત્ની સાથે આંબેડકરનગરમાં મકાનના ભાગના રૂૂપિયા લેવા ગયો હતો ત્યારે દીકરી જમાઈને સસરા સહિતના સાસરીયાએ માર માર્યો હતો. જ્યારે સામા પક્ષે વૃદ્ધાને પણ ઇજા પહોંચી હતી. મારમારીમાં ઘવાયેલા દંપતી અને વૃદ્ધાને સારવાર માટે ખસેડાયા હતા.


આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગંજીવાડામાં રહેતા પ્રકાશ માવજીભાઈ ચૌહાણ (ઉ.વ.30) અને તેમની પત્ની મુક્તાબેન પ્રકાશભાઈ ચૌહાણ (ઉ.વ.27) આંબેડકરનગરમાં હતા ત્યારે સસરા દેવજીભાઈ રાઠોડ, જયાબેન અને સંજય સહિતના શખ્સોએ ઝઘડો કરી ઢીકા પાટુનો માર માર્યો હતો.
જ્યારે વળતા પ્રહારમાં હીરૂૂબેન રાજાભાઈ રાઠોડ (ઉ.વ.70)ને માવજી અને મુકતાબેને માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા દંપતી અને વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં પ્રકાશ ચૌહાણ અને હુમલાખોર તેના સસરા દેવજીભાઈ રાઠોડે ભાગમાં મકાન ખરીદ્યું હતું જે મકાન વેચી નાખતા જે ભાગમાં લીધેલા મકાનના મકાનના રૂૂપિયા લેવા જતા બંને પક્ષે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે.


આ ઉપરાંત કિટીપરા વિસ્તારમાં ગાયકવાડીમાં રહેતા અશ્વિન પ્રેમજીભાઈ વઢવાણિયા નામનો 22 વર્ષનો યુવાન પોતાના ઘર પાસે હતો ત્યારે અક્કી નામના શખ્સે માર માર્યો હતો. જ્યારે રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતા દેવાભાઈ હકાભાઇ બાંભવા નામના 51 વર્ષના આધેડ રૈયાધાર વિસ્તારમાં હતા ત્યારે લાલા, અજય અને વિજય સહિતના શખ્સોએ અકસ્માત મુદ્દે ઝઘડો કરી ધોકા વડે માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવક અને આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version