ક્રાઇમ

તળાજા વિસ્તારમાં વર્ચસ્વ જમાવવા બે કિન્નર જૂથ વચ્ચે સામ સામે હુમલો

Published

on

ભિક્ષાવૃત્તિ કરતા હતા ત્યાર લાકડી, પથ્થર અને સળિયા વડે તૂટી પડ્યા

ભાવનગર જિલ્લાના તળાજાના વેપારીઓએ કિન્નરઓની દબંગગીરીને લઈ કરેલ ફરિયાદ બાદ ભિક્ષાવૃત્તિના વિસ્તારના વર્ચસ્વની લડાઈને લઈ તળાજાના બે કિન્નર ઉપર ઠાડચ ખાતે રહેતા કિન્નરએ પોતાના યુવાન પુરુષ સાગ્રીતોને સાથે લાવી મૂંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા.


જર, જમીન અને જોરું આ કહેવત તળાજા વિસ્તારના કિન્નરને પણ લાગુપાડતી ઘટના પાલીતાણા રોડ પર આવેલ સુંદરવન ગૌશાળા નજીક બનવા પામી છે.તળાજા હોસ્પિટલ ખાતે પોતાના ચેલાઓ પર થેયલ હુમલા ને લઈ સારવાર અર્થે દોડી આવેલ દીપિકામાસી એ આરોપ મૂક્યો હતોકે આજે સાંજના સમયે પોતાના અહીં રહેતા સાત ચેલા પૈકીના રિયામાસી અને જાગૃતિમાસી પાલીતાણા હાઇવે પર ભિક્ષાવૃત્તિ કરી રહ્યાહતા.આ સમયે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી એ પોતાના સાગ્રીતો જે એ વિસ્તારના પુરુષ છે તેને સાથે રાખી લાકડી,પથર અને સળિયા વડે હુમલો કરી મૂંઢમાર મારેલહતો.આ લોકોએ જતા જતા ધમકી આપી હતીકે હવે અહીંયા ભિક્ષાવૃત્તિ કરશો તો જાનથી મારી નાખીશું. આ અંગે ઘવાયેલા તમામ કિન્નરને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તેમજ આ ઘટના અંગેની જામ થતા ભાવનગર પોલીસનો સ્ટાફ તુરંત હોસ્પિટલે પહોંચી ગયો હતો અને ઘવાયેલા કિન્નરોના નિવેદન લઇ ફરિયાદ નોંધવા તજવીજ શરૂ કરી છે.

મારાજીવને પણ જોખમ: દીપિકામાસી
તળાજાના દીનદયાળ નગર ખાતે કિન્નર એકીસાથે રહે છે. તળાજા ના મુખ્યગુરુ તરીકે દીપિકામાસી છે. તેઓએ જણાવ્યું હતુ કે ઠાડચ ખાતે રહેતા મુકતામાસી તરફથી છેલ્લા પંદરેક દિવસથી ધમકીઓ મળીરહી છે.આજે તેમના તરફથી પોતાના બે ચેલાપર હુમલો કરવામાં આવ્યો. મને પણ શોધે છે. મારા જીવનું જોખમ છે આ સમસ્યાનું નિરાકરણ તુરંત લેવામાં આવે તેવી પોલીસને વિનંતી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version