Uncategorized
શ્રીરામ રાઘવનની ‘ઇક્કીસ’થી ડેબ્યૂ કરશે અગસ્ત્ય નંદા
સ્ટારકિડ અગસ્ત્ય નંદા ટૂંક સમયમાં મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અગસ્ત્યએ તેમની અભિનય કારકિર્દીની શરૂૂઆત ઝોયા અખ્તર દ્વારા નિર્દેશિત ફિલ્મ ધ આર્ચીઝથથી કરી હતી. જો કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમની શાનદાર એક્ટિંગને કારણે તેને હવે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘ઈક્કીસ’ મળી છે. ફિલ્મ સાઈન કર્યા બાદ અગસ્ત્ય ટૂંક સમયમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. તો રિપોર્ટ અનુસાર, આ ફિલ્મમાં વરુણ ધવનની જગ્યાએ અગસ્ત્યને લેવામાં આવ્યો છે. ફિલ્મના નિર્દેશક શ્રીરામ રાઘવને અગસ્ત્યના કાસ્ટિંગના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે ફિલ્મ ‘ઈક્કીસ’નું શૂટિંગ શરૂૂ થઈ ગયું છે. શૂટિંગનું પહેલું શિડયૂલ પણ શૂટ થઈ ગયું છે, જોકે અગસ્ત્યનો એ ભાગમાં કોઈ રોલ નહોતો. હવે ફિલ્મનું બીજું શિડયૂલ શ્રીરામની આગામી ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ની રિલીઝ બાદ શૂટ કરવામાં આવશે. ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ 12 જાન્યુઆરીએ રિલીઝ થશે, ત્યારબાદ અગસ્ત્ય નંદા પણ બીજા શિડયૂલમાં ટીમ સાથે જોડાશે.