ગુજરાત
આ વર્ષે તિરંગાની માંગમાં ઐતિહાસિક 80%નો ઘટાડો
45 લાખ મીટરની જગ્યાએ માંડ 7 લાખ મીટર ઉત્પાદન, સરકારી, ખાનગી સંસ્થા અને સામાન્ય જનતામાં ઉત્સાહનો અભાવ
78માં સ્વતંત્રતા દિવસ આડે માત્ર દિવસ બાકી છે, ત્યારે ઉજવણી માટે બજારમાં ભાગ્યે જ કોઈ ઉત્સાહ જોવા મળ્યો છે. પરિણામે, બે વર્ષ પહેલાના સ્વતંત્રતા દિવસની ઉજવણીની સરખામણીમાં આ વર્ષે ત્રિરંગા ધ્વજનું ઉત્પાદન લગભગ 80 ટકા ઘટ્યું છે.
બજારના સૂત્રોના જણાવ્યા અનુસાર આ વર્ષે ત્રિરંગા ધ્વજનું ઉત્પાદન માત્ર 4 લાખથી 9 લાખ મીટરની વચ્ચે છે. જો કે, બે વર્ષ પહેલા, તે લગભગ 45 લાખ મીટર હતું. આનો અર્થ એ છે કે 76મા સ્વાતંત્ર્ય દિવસ કરતાં ઓછામાં ઓછું પાંચ ગણું ઓછું ઉત્પાદન ઘટ્યું છે.
નારોલમાં એક ધ્વજ ઉત્પાદકે જણાવ્યું હતું કે, અમે બે વર્ષ પહેલા સ્વાતંત્ર્ય દિવસ ની આસપાસ લગભગ 22 લાખ ફ્લેગ વેચ્યા હતા. જો કે, આ વર્ષે, તે ભાગ્યે જ 7 લાખ જેટલા ધ્વજ વહેંચી શકાય છે. આ વર્ષે ધ્વજ માટેના ઓર્ડર ખૂબ મોડેથી આવ્યા હતા. આ સરકારી, ખાનગી સંસ્થાઓ અને સામાન્ય જનતામાં ઉત્સાહનો અભાવ દર્શાવે છે. તેથી, અમે મર્યાદિત માંગ મુજબ ઉત્પાદન પણ ખૂબ પાછળથી શરૂૂ કર્યું, કારણ કે ન વેચાયેલો સ્ટોક અમારા માટે ડેડ સ્ટોક બની જાય છે.
આ વલણ સાથે સંમત થતા, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની મહાજન સંકલન સમિતિના ભૂતપૂર્વ સભ્ય, અમિત ગંગવાણીએ જણાવ્યું હતું કે, 75મા સ્વાતંત્ર્ય દિવસે, લગભગ 45 લાખ મીટર ફ્લેગ્સનું ઉત્પાદન કરવામાં આવ્યું હતું, આ વર્ષે લગભગ 9 લાખ મીટર ઉત્પાદન કરાયું છે. નારોલમાં ફેબ્રિક ઉત્પાદક મહાવીર ટેક્સટાઈલના ડિરેક્ટર ગંગવાણીએ ઉમેર્યું હતું કે, બે વર્ષ પહેલાં, ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં થતા કુલ ઉત્પાદનમાં ફ્લેગ ખરીદવામાં સરકારનો હિસ્સો લગભગ 75% હતો. આ વર્ષના સ્વાતંત્ર્ય દિવસ માટે તે ભાગ્યે જ 30% આસપાસ છે.