rajkot

જસદણ પાસે બે કર્મચારીની ઊંઘ બગાડ્યા વગર પેટ્રોલપંપમાંથી 17,700ની રોકડની ચોરી

Published

on

રાજકોટ જિલ્લાના જસદણ વિછીયા રોડ પર આવેલા શ્રીનાથજી પેટ્રોલીયમાં મોડી રાત્રે ત્રાટકેલા તસ્કરે કર્મચારીઓની ઉંઘમાં ખલેલ પહોંચાડયા વગર ટેબલના ખાનામાંથી વકરાના રૂા.17,700ની રોકડ રકમનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે સી.સી.ટીવી ફુટેજમાં કેદ થયેલા તસ્કરની શોધખોળ હાથ ધરી છે. આ બનાવ અંગેની જાણવા મળતિ વિગત મુજબ જસદણ કમળાપુર રોડ પર શ્રી હરી પાર્ક શેરી નં.1માં રહેતા મનહરભાઇ પાંચાભાઇ સરસણીયા (ઉ.26)એ પોલીસમાં નોંધાયેલ ફરીયાદમાં આરોપી તરીકે અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ફરીયાદી બાર વર્ષની વિછીયારોડ પર આવેલ શ્રી નાથજી પ્રેટ્રોલીયમમાં ફીવરમેન તરીકે નોકરી કરે છે. ગત તા.1/12/2023ના ફરીયાદી તેમજ કરણ વિક્રમભાઇ ચૌહાણ અને અજય હરદેવભાઇ ગોહીલ નાઇટ ડ્યુટીમાં હતા. રાત્રીના બે વાગ્યા સુધી કરણભાઇ ચૌહાણ નોકરી પર હતા અને ફરીયાદી તેમજ અજયબાઇ ઓફિસમાં સુઇ ગયા હતા સવારે મહેતાજી ગોંવિદભાઇ ઓફિસે આવ્યા ત્યારે ટેબલના ખાતા ચેક કરતા 17,700ની રોકડ રકમ ગાયબ થઇ ગઇ હતી.
ચોરી થયાની જાણ થતા સી.સી.ટીવી ફૂટેજ ચેક કરતા સવા બે વાગ્યે અજાણ્યો શખ્શ, પેટ્રોલપંપની ઓફિસમાં પ્રવેશ કરે બંન્ને કર્મચારીની ઉંઘ બગાડયા વગર ટેબલના ખાનામાંથી રોકડ રકમ ઉઠાવી પલાયન થઇ ગયો હતો.
આ બનાવ અંગે જસદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી સી.સી.ટીવી ફૂટેજના આધારે તસ્કરની ઘરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version