ધાર્મિક
ઘરમાં ભૂલથી પણ આ જગ્યાએ ન રાખવી જોઈએ પિતૃની તસવીર, નહીંતર સુખ શાંતિ હણી જશે
પિતૃ પક્ષના સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 18 સપ્ટેમ્બર પિતૃ પક્ષની શરૂઆત થશે. તેનું સમાપન બુધવારે 2 ઓક્ટોબરે થશે. આ સમયને પિતૃ પક્ષ કે શ્રાદ્ધના રૂપમાં ઓળવામાં આવે છે. આ સંપૂર્ણ રીતે પૂર્વજોને સમર્પિત છે. શાસ્ત્રો અનુસાર પિતૃપક્ષ દરમિયાન પિતૃઓનું શ્રાદ્ધ કરવાથી તેઓ પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. એવું કહેવાય છે કે જ્યારે પૂર્વજો કોઈ પર પ્રસન્ન થાય છે, ત્યારે તેને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ સમય દરમિયાન ઘણા લોકો પોતાના પૂર્વજોને તર્પણ અને પિંડદાન કરે છે. જેનાથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દરમિયાન અમુક લોકો આ સમય દરમિયાન ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવે છે. પરંતુ દિશાની સાથે સાથે ઘણી બધી વસ્તુઓની અવગણના કરે છે. જેનાથી પિતૃ રીસાઈ જાય છે. તો જાણો પિતૃઓની તસ્વીર લગાવતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.
આ જગ્યાઓ પર ન લગાવો પિતૃઓની તસ્વીર
વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વજોનું ચિત્ર બ્રહ્મા એટલે કે ઘરના મધ્ય સ્થાન, બેડરૂમ કે રસોડામાં ન લગાવવું જોઈએ. આવું કરવાથી પૂર્વજોનું અપમાન થાય છે અને ઘરમાં પારિવારિક વિખવાદ વધે છે, સાથે જ સુખ-સમૃદ્ધિમાં પણ ઘટાડો થાય છે.
શાસ્ત્રોમાં ઘરના મંદિરમાં પૂર્વજોની તસવીરો લગાવવાની મનાઈ છે. દેવી-દેવતાઓ સાથે પૂર્વજોના ચિત્રો રાખવાથી દેવતાઓ નારાજ થાય છે અને દેવદોષ પણ થાય છે. શાસ્ત્રોમાં પૂર્વજો અને દેવતાઓના સ્થાનનો અલગ-અલગ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કારણ કે પૂર્વજો દેવતાઓ જેટલા જ શક્તિશાળી અને આદરણીય હોય છે. બંનેને એક જગ્યાએ રાખવાથી કોઈના આશીર્વાદનું શુભ ફળ મળતું નથી.
ઘરની એવી જગ્યા પર ક્યારેય પૂર્વજોની તસવીરો ન લગાવવી જોઈએ જ્યાં તેઓ આવતા-જતા જોઈ શકાય. મોટા ભાગના લોકો લાગણીમાં આવીને આવું કરે છે, જેના કારણે તેમના મનમાં નિરાશાની લાગણી જન્મે છે. તેમજ તેને દક્ષિણ અને પશ્ચિમની દીવાલો પર ન લગાવવી જોઈએ, આમ કરવાથી સમૃદ્ધિની ખોટ થાય છે.
પૂર્વજોના તસવીરો ક્યારેય જીવતા લોકોની નજીક ન લગાવવા જોઈએ, આવું કરવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે જે જીવંત વ્યક્તિ પર તેના પૂર્વજોની તસવીર હોય છે તેના પર નકારાત્મક અસર પડે છે. આ સાથે તેમની ઉંમર પણ ઘટતી જાય છે અને જીવન જીવવાનો તેમનો ઉત્સાહ પણ ઓછો થવા લાગે છે. તે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની શકે છે.
પૂર્વજોના તસવીરો ક્યારેય લટકાવવી ન જોઈએ. આ ફોટોગ્રાફ્સ રાખવા માટે લાકડાનું અલગ સ્ટેન્ડ બનાવવું જોઈએ. ધ્યાનમાં રાખો કે પૂર્વજોની એક કરતાં વધુ તસવીરો ક્યારેય ન હોવી જોઈએ અને તે મહેમાનોને ક્યારેય દેખાતી ન હોવી જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા આવે છે.