ગુજરાત
મંગળવારથી લગ્નોના શુભ મુહૂર્ત શરૂ: ફરી ઢોલ, શરણાઇઓ વાગશે
અષાઢ શુદ 3ને મંગળવાર તા. 9.7.24 ના દિવસથી લગ્નના મુર્હૂતો ની શરૂવાત થશે આ વર્ષે ગુરૂ-શુક્રના અસ્ત ના લીધે ઉનાળા મા મે તથા જૂન મહિનામા લગ્નના મુર્હૂતો નહતા પરંતુ હવે 9 જૂલાઇ મંગળવાર થી 6 જેટલા લગ્નના મુર્હૂતો છે. જુલાઇ મહિનાના લગ્નના મુર્હૂતો તા. 9,11,12,13,14,15 ત્યાર બાદ તા.17 જુલાઇ ને બુધવારે દેવ પોટી એકાદશી છે અને જયોતિષના નિયમ પ્રમાણે દેવપેઢી થાય એટલે લગ્ન થઇ શકતા નથી.
.આથી આ વર્ષે હવે માત્ર 6 જ લગ્નના મુર્હૂતો છે. ત્યાર બાદ 12 નવે ના દિવશો દેવ દિવાળી છે અને દેવતાઓ જાગસે આથી ફરીથી હિન્દુ નવ વર્ષે લગ્નના મુર્હૂતો આવસે નવેમ્બર 2024 લગ્નના મુર્હૂતો તા. 17,22,23,25,26 ડિશેમ્બર 2024 લગ્નના મુર્હૂતો તા.3,4,6,7,14 ત્યારબાદ તા.15-12-2024 થી 14-01-2025 સુધી કમુહૂર્તા છે.