ગુજરાત
ગોંડલમાં ખોડિયારનગરના નાળામાં પાણી ભરાયાં, વાહનચાલકો પટકાયા
ગોંડલમાં લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થતાં શહેર અને ગ્રામ્ય પંથકમાં 3 ઈંચ વરસાદ પડયો હતો. મેઘરાજાના આગમનથી ગોંડલમાં બનાવેલા રસ્તાની ગુણવત્તાની પોલ ખુલી હતી. નજીવા વરસાદથી ખોડીયાર નગરના નાલામાં પાણી ભરાતા ત્યાંથી પસાર થતાં વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ખાડાના કારણે વાહનો ફસાયા હતા તો ટુ વ્હીલર પર નિકળેલા લોકો પટકાયા હોવાનું તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.