rajkot
ધોરાજી પંથકમાં ડુંગળી નિકાસ પ્રતિબંધનો ખેડૂતો દ્વારા વિરોધ
ધોરાજી આજુબાજુ વિસ્તાર પંથક ના ખેડૂતો એ હજારો હેકટર મા ડુંગળી નુ વાવેતર કરેલ છે ત્યારે આ નિકાસ બંધ હોય તેથી ખેડૂતો ને ડુંગળી ના પોષણક્ષમ ભાવ નથી મળી રહયા ત્યારે આજરોજ ખેડૂતો પ્રાંત કચેરીએ આવેદનપત્ર પાઠવાયુ અને ખેડૂતો અનોખી રામધૂન બોલાવીયો હતો મા વિરોધ પ્રદર્શન પણ કરવામા આવ્યુ.
ધોરાજી પંથક ના ખેડૂતો મા જયાર થી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ની નિકાસ પર પ્રતિબંધ લાડવામા આવેલ છે ત્યાર થી ડુંગળી ના પોષણક્ષમ ભાવ નથી મળી રહયા અને ડુંગળી પકાવતા ખેડૂતો ની માઠી દસા થઈ ગયેલ છે અને ડુંગળી હાલ ખેતર મા પડી છે પણ ભાવો ન મળતા ડુંગળી પાકી ગઇ છે પણ ભાવ ન મળતા ડુંગળી લણી શકતા નથી ત્યારે તમામ ખેડૂતો ચિંતિત જોવા મળેલ છે અને એક જ માંગ કરી રહયા છે કે કેન્દ્ર સરકાર ની ડુંગળી પર ની નિકાસ બંધી પાછી ખેચવામા આવે તેવી માંગ કરી રહયા છે અને આગામી દિવસો મા તાત્કાલિક આ નિર્ણય પાછો ખેચવામા નહી આવે તો વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
(તસ્વીર : રમણીકભાઈ ટોપીયા)